રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દહેગામ નગર દ્વારા પથસંચલન અને સાર્વજનિક કાર્યક્રમ યોજાયો - At This Time

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દહેગામ નગર દ્વારા પથસંચલન અને સાર્વજનિક કાર્યક્રમ યોજાયો


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દહેગામ નગર દ્વારા વિજયાદશમી પથ સંચલનનું આયોજન 29 સપ્ટેમ્બર 2024, રવિવારના રોજ કરવામાં આવ્યું, જેમાં 193 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે આયોજિત સાર્વજનિક કાર્યક્રમમાં સંબોધન કરતાશ્રી ઉર્જીતભાઈ શુક્લે (વિભાગ કાર્યવાહ, ગાંધીનગર વિભાગ, રા.સ્વ.સંઘ) જણાવ્યું કે રાષ્ટ્રને વિશ્વગુરૂ બનાવવાના પ્રયાસો માટે જરૂરી મુદ્દાઓમાં પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સમરસતા અને સ્વદેશી અપનાવોનો મુખ્ય સમાવેશ થાય છે, જેનું અમલીકરણ નાગરિક કર્તવ્ય થકી જ શક્ય છે. સંઘ આ મુદ્દાઓ પર કાર્યરત છે. તેવું ઊર્જિતભાઈએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું.
પથસંચલનનું સ્વાગત કરવા અને સાર્વજનિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દહેગામ નગરના સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.