કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સામે સોશ્યલ મીડિયામાં રોષ - At This Time

કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સામે સોશ્યલ મીડિયામાં રોષ


કેશોદ માંગરોળ તાલુકાના ઘેડ પંથક સહીત વંથલી માણાવદર માધવપુર તાલુકા સહીતના અનેક ગામોમાં ચોમાસામાં નદિઓ ઓવર ફ્લો થવા અને નદિઓના પાળાઓ તુટવાના કારણે હજારો વિઘા જમીન તથા ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થાયછે વર્ષોથી આ સમસ્યા ઉદભવેછે જેની દર વર્ષે રજુઆત કરવામાં આવેછે છતાં દર વર્ષે પરિસ્થિતિ એની એ જ રહેછે હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓઝત નદિનો પાળો તુટતાવાની ઘટના બની હતી જેથી બે જીલ્લાના અનેક ગામોમાં નદિના પાણી ફરી વળ્યા હતા હજારો વિઘા જમીનના ધોવાણ સાથે ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થયું છે હાલમાં પણ ઘેડના અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાયેલાછે લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થાયછે થોડા દિવસો પહેલા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદ થવાથી ઘેડ પંથકમાં પસાર થતી નદિઓના પાણી ઘેડ પંથકમાં ફળી વળ્યા હતાં જેથી ઘેડ પંથકમાં જળબંબાકાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા બિમાર દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યુ હતું અનેક ગામોના વાહન વ્યવહાર ખોરવાયો હતો 

અનેક લોકોના ઘરમાં પાણી ઘુંસી ગયા હતા જેના ઘણાં દિવસો વિતી ગયા હોવા છતાં પણ કેશોદ ૮૮ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ તથા સાંસદશ્રી રમેશભાઈ ધડુક દ્વારા ઘેડ પંથકની મુલાકાત લેવામાં આવી નથી

તાજેતરમાં જુનાગઢ ખાતે કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમે મીડીયા સમક્ષ એવું જણાવ્યું હતું કે ઘેડની પરિસ્થિતિ સારીછે ત્રીસ કિલો મીટર સુધીનું પાણી ઘેડમાં આવેછે માધવપુર પુલ ઉપર પાટીયા ચડાવેલ હોયછે તે પાટીયા કઢાવી નાખેલછે અને જો પાણી ન આવે તો ઘેડ નકામું થઈ જાય અત્યારે ખરાબો કોઈપણ ન બને ડેમ ભરાતા પહેલાં થોડુ પાણી કાઢે અને ડેમ ભરાઈ જાય એવી સુચના આપવામાં આવીછે અત્યારે ઘેડમાં કોઈ એવી મુશ્કેલી નથી ઘેડમાં પાણી આવતું જ હોય હું ઘેડમાંથી જ આવુંછૂ મારૂ ગામ પણ માંગરોળમાં ઘેડ જ છે આવુ મીડિયા સમક્ષ જણાવ્યું હતું જે બાબતે કેશોદ ૮૮ વિધાનસભા મત વિસ્તારમાં કેશોદના ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સામે સોશ્યલ મીડિયામાં ભારે રોષ જોવા મળી રહ્યોછે અને લોકો અવનવી કોમેંટ સાથે ઘેડ પંથકની પરિસ્થિતિ વર્ણવી રહયાછે

જ્યારે બીજી તરફ કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમે ગઈ કાલે તા. ૧૮ના રોજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેટરપેડ દ્વારા જણાવ્યું હતું કે મારા મત વિસ્તાર કેશોદ અને માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારમાં વધુ વરસાદને કારણે પુર આવવાથી ઉપરવાસમાં ઓઝત, સાબલી, મધુવંતી નદીઓમાં ધોડાપુર આવવાના કારણે સ્ટેટ તથા પંચાયતના ડેમોના દરવાજા તેમજ અનેક જગ્યાએ નદીઓના પાળા તુટવાથી નીચાણવાળા વિસ્તારોમાં પુર આવવાથી જમીન ધોવાણ થયેલ હોઇ તેમજ ખેડૂતોના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે.

ઉકત બાબતે મારા મતવિસ્તારના તમામ ગામનો સર્વે કરી જરૂરી ઘટીત કાર્યવાહી કરવા મારી આપશ્રીને ખાસ અંગત ભલામણ સહ વિનંતીછે

કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ એક તરફ મીડીયા સમક્ષ એવુ નિવેદન આપેછે કે ઘેડમાં પરિસ્થિતિ સારીછે ઘેડમાં એવી કોઈ મુશ્કેલી નથી જ્યારે બીજી તરફ કૃષિ મંત્રીને લેટરપેડ દ્વારા રજૂઆત કરી જમીન ધોવાણ ખેડુતોના ઉભા પાકમાં નુકશાન થયું તેનો સર્વે કરી જરૂરી ઘટતી કાર્યવાહી કરવા જણાવેછે ત્યારે હાલ સોશ્યલ મીડિયામાં કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સામે સોશ્યલ મીડિયામાં અવનવી ઢગલાબંધ કોમેંટો સાથે મતદારો રોષ વ્યક્ત કરી રહ્યાછે 

અત્રે ઉલ્લેખનીયછે ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી જમીન અને ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થયુંછે નદિઓના પાળાઓ તુટવાના બનાવો બન્યાછે ત્યારે કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સાંસદ રમેશભાઈ ધડુક કે અન્ય સરકારી તંત્રએ ઘેડ પંથકની મુલાકાત લીધી ન હોય જે બાબતે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યોછે

ઘેડ પંથકમાંથી દર વર્ષે ધારાસભ્ય સાંસદ સહીતને દર વર્ષે રજુઆત કરવામાં આવેછે સરકાર સુધી રજુઆત પહોંચેછે છતાં સરકાર દ્વારા ઘેડ પંથકના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા કામગીરી થઈ નથી ઘેડ પંથકમાં નદિઓ ઉંડી પહોળી અને નદિઓના વારંવાર તુટતા પાળાઓના પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેવી કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે જેથી દર વર્ષે સરકાર અને ખેડુતોને થતી નુકશાની વેઠવી ન પડે તેવુ આયોજન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામીછે ત્યારે વર્ષોથી ઘેડ પંથકના પ્રાણ પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે કે હજુ ઘેડ પંથકના લોકોએ વર્ષો સુધી રાહ જોવી પડશે તે આવનારો સમય જ બતાવશે 

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon