આનંદપર ગામ ની સગર્ભાની બાલાસર 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી,બંનેનો જીવ બચાવ્યો - At This Time

આનંદપર ગામ ની સગર્ભાની બાલાસર 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી,બંનેનો જીવ બચાવ્યો


બાલાસર 108 ઇમરજન્સી ટીમ દ્વારા આનંદપર ગામની સગર્ભાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ
રાપર તાલુકાના આનંદપર ગામના રહેતા સગર્ભા સુમીતાબેનને ગંભીર પ્રસુતિની પીડા ઉપડતા વિનોદભાઈ એ 108 ને ફોન કરીને દર્દી ની પરિસ્થિતિ જણાવી હતી

બાલાસર કેન્દ્રના કર્મચારીયો EMT નગીન નાઈ અને પાયલોટ અજયદાન ગઢવી તરતજ સ્થળે પહોંચ્યા હતા
અને દર્દીની પરિસ્થિતિ ગંભીર માલુમ પડતા અમદાવાદ ખાતેના Emergency રિસ્પોન્સ સેન્ટર ના ડો. કૃષ્ણા મેડમ ના માર્ગદર્શન તૅમજ વિવિધ સાધનો તેમજ ટેકનિકનો ઉપયોગ કરીને દર્દીની એમ્બ્યુલન્સ માં જ સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી હતી. મહિલા અને બેબી ની વધુ સારવાર માટે રાપરના chc હોસ્પિટલ મા ખસેડાયા હતા. બેબી નો જન્મ થતા પરિવાર જનોયે 108 ના કર્મચારીયો નો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon