લો કર લો બાત : ખખડધજ રસ્તાએ વૃદ્ધનો જીવ લીધો , આરોપી ચાલક બન્યો - At This Time

લો કર લો બાત : ખખડધજ રસ્તાએ વૃદ્ધનો જીવ લીધો , આરોપી ચાલક બન્યો


વડોદરા શહેરના જયરત્ન બિલ્ડિંગ પાસે રહેતા 61 વર્ષીય વૃદ્ધનું ગાજરાવાડી પંપીંગ સ્ટેશન પાસે રસ્તામાં ખાડાના પગલે બાઈક ઉપરથી પડી જતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું . મૃતકના દીકરાની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . વડોદરા શહેર લાઈક શહેરની જયરત્ન બિલ્ડીંગ પાસેની મંગલવાડી સોસાયટીમાં રહેતા 61 વર્ષીય રામચંદ્ર કિશનલાલ ગોસાઈ નિવૃત્ત જીવન ગુજારતા હતા . ગઈકાલે સાંજના સુમારે તેઓ ભાઈ કનૈયાલાલ કિશનલાલ ગોસાઈને ટિફિન આપવા માટે મહેશભાઈ સામુભાઈ ગોસાઈ સાથે બાઈક ઉપર ગયા હતા . સાંજના સુમારે તેઓ ગાજરાવાડી સુએઝ પમ્પિંગ સ્ટેશન સામેથી પસાર થઈ રહ્યા હતા . તે વખતે અચાનક રસ્તામાં ખાડો આવી જતા તેઓ જમીન પર પટકાયા હતા . આ અકસ્માતમાં તેમને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું . મૃતકના દીકરાએ બાઈક ચાલક મહેશભાઈ ગોસાઈ વિરુદ્ધ બેદરકારી બદલ ફરિયાદ નોંધાવી છે . ત્યારે અહીં સવાલ ઉદભવે છે કે , આ અકસ્માતના બનાવમાં શુ રસ્તા પરનો ખાડો જવાબદાર નથી . અને હોય તો રસ્તાની જવાબદારી જેમના શિરે રહેલી હોય તેમને પણ બાકાત રાખી શકાય નહીં .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon