નરેન્દ્રમોદી વિચાર મંચ દ્વારા નારણપુરા અને વાડજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન. - At This Time

નરેન્દ્રમોદી વિચાર મંચ દ્વારા નારણપુરા અને વાડજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન.


તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે નરેન્દ્રમોદી વિચાર મંચ દ્વારા નારણપુરા અને વાડજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,

નારણપુરા પોલીસ સ્ટેશન ના પ્રથમ P I શ્રી અમિતભાઇ જાદવ તરફથી પોતાના સહ-કર્મીઓ ની ઉત્તમ સ્વાસ્થ્ય માટે હંમેશા પ્રયત્નશીલ જોવા મળે છે અને જે બાબતે આ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પના આયોજન ની મંજુરી ઝોન ના DCP, ACP તથા પ્રથમ P I દ્વારા આપવામાં આવી હતી,

આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવાર જનો માટે શરીરના જુદા જુદા અંગો માં અને આંતતિક તકલીફો ની ચકાસણી ના રિપોર્ટ કરી અને જે તે તકલીફો ના યોગ્ય નિદાનની કે સારવારની સલાહ ડૉકટર તથા હોસ્પિટલ સ્ટાફ તરફથી આપવામાં આવી હતી,

નારણપુરા અને વાડજ બંને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અંદાજે ૨૫૦ જેટલાં પોલીસ કર્મચારીઓ માં થી અંદાજે ૧૭૦ થી વધારે પોલીસ કર્મી અને તેમના પરિવાર જનો એ આ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં લાભ લીધો હતો,

આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં જુદીજુદી હોસ્પિટલ નો સહિયોગ અને હોસ્પિટલ કર્મચારીઓ તરફથી સેવાના ભાવથી સંપૂર્ણ સાથ અને સહકાર મળ્યો હતો તે બદલ નારણપુરા પોલીસ સ્ટેશન ના પ્રથમ P I શ્રી ઓ એ અને ઉપરી પોલીસ અધિકારી શ્રી ઓ તરફથી નરેન્દ્રમોદી વિચાર મંચ, Only ન્યુઝ ગુજરાત, પત્રકરો, હોસ્પિટલ ના કર્મચારીઓ તથા તમામ આમંત્રિત સેવાભાવ સાથે આ નિઃશુલ્ક કેમ્પ માં જોડાયેલ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon