દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતો ની વણથંબી વણઝાર યથાવત. - At This Time

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતો ની વણથંબી વણઝાર યથાવત.


ગરબાડા તાલુકાના પાંચવાડા કેલાની નજીક ત્રણ બાઈકો વચ્ચે અકસ્માત: પાંચ ઇજાગ્રસ્ત ...

ગરબાડા તાલુકાના પાંચવાડા નજીક અલીરાજપુર હાઇવે પર મોડી સાંજે ત્રણ બાઈકો વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આસપાસના ભેગા થયેલા લોકોએ 108 મારફતે ઈજાગ્રસ્ત્રોને સારવાર માટે દાહોદ મોકલ્યા છે.

ગરબાડા તાલુકાના પાંચવાડા થી પસાર થતા દાહોદ અલીરાજપુર હાઇવે પર માર્ગ અકસ્માત નો સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો હતો. જેમાં મોડી સાંજે પાંચવાડા કેનાલ નજીક ત્રણ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આ માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે બાઈકો ધડાકા ભેર અથડાતા આસપાસના ભેગા થયેલા લોકોએ તાબડતોડ 108 ઈમરજન્સી સેવાને જાણ કરી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. અકસ્માતની જાણ ગરબાડા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon