વિછીયા માર્કેટિંગ યાર્ડમાં પહેલા નોરતાથી હરરાજી નો શુભારંભ થયો - At This Time

વિછીયા માર્કેટિંગ યાર્ડમાં પહેલા નોરતાથી હરરાજી નો શુભારંભ થયો


પ્રથમ ગાંસડીનાં શુભ મુર્હતમાં 2500 માં હરરાજી થઈ હતી ત્રણ ચાર ગાંસડી 2700 નાં ભાવે હરરાજીમાં વેંચાઈ હતી તાજેતરમાં વિંછીયા માર્કેટિંગ યાર્ડમાં ચુંટાયેલા નવનિયુક્ત પ્રમુખ કડવાભાઈ જોગરજીયા અને સભ્યોએ સહકારી ક્ષેત્રનાં ભીષ્મ પિતામહ સ્વ. વિઠલભાઈ રાદડીયાની પુણ્યતિથી નિમિત્તે મહા બ્લડ ડોનશન કેમ્પ રાખી સરાહનીય કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે જસદણ વિંછીયાના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીની ચાવીરૂપ ભૂમિકા અને મઘ્યસ્થીતી હરરાજીના પ્રારંભ સાથે જ કપાસની ગાંસડીના પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતુ અને વિવાદનો અંત આવ્યો હતો અને હાજર ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. હરરાજી શુભારંભમા યાર્ડ પ્રમુખ કડવાભાઈ જોગરાજીયા ઉપપ્રમુખ મનસુખભાઇ કોરડીયા અને સામાજીક અગ્રણી વિનોદભાઈ વાલાણી વગેરેએ કરાવ્યો હતો

અશરફ મીરાસૈયદ ‌વિછીયા મો 9723562786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon