સાયલા ખાતે સુરેન્દ્રનગર પોલીસવડા તથા લીંબડી ડીવાયએસપી ના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો - At This Time

સાયલા ખાતે સુરેન્દ્રનગર પોલીસવડા તથા લીંબડી ડીવાયએસપી ના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો


સાયલા પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેકશન બાદ સુરેન્દ્રનગર પોલીસવડા હરેશકુમાર દુધાંત તથા તથા લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવા દ્વારા લોકદરબાર યોજવામાં આવ્યો. જેમાં ગામલોકોના પ્રશ્નો વિશે માહિતી માંગી હતી.
જેમાં વેપારીમિત્રો દ્વારા જણાવેલ કે મુખ્ય બજાર માં વાહનોના આડેધડ પાર્કિંગ લોકોને મુશ્કેલી રૂપ છે. તથા સાયલા પત્રકાર મિત્રોએ ધજાળા પોલીસ સ્ટેશન શરૂ થયું ત્યાર થી કોઈ કાયમીક કોન્ટેક્ટ નંબર નથી. જેથી કોઈપણ મેટર બાબતે પૂછપરછ કે અન્ય કામગીરી માટે તકલીફ પડે છે. જે માટે ઘજાળા પીએસઆઇ ને ડીસ્ટ્પ કરવા પડે અથવા તેઓ કોર્ટકચેરી ના કામથી બહાર હોય તો અન્ય કોનો સંપર્ક કરવો? માટે લોકોને તથા પત્રકાર મિત્રો ને રૂબરૂ જવાની ફરજ પડે છે. તો એના માટે કોઈ એક પરમેનેટ નંબર શરૂ કરાવો. તથા સાયલા ના આગેવાનો દ્વારા જણાવેલ કે સાયલા માં અવારનવાર ઝગડાઓ થતા હોય છે. જે કોઈક વાર હત્યાં માં પણ ફેરવાઈ છે. આ બાબતે પોલીસ મિત્રો દ્વારા સાથે રહી ને સમાધાન થાય એવા પ્રયાસો કરવા જોઈએ.
સાયલા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોકદરબાર માં વેપારીમીત્રો, રાજકીય આગેવાનો તથા પત્રકાર મીત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં. 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon