મુખ્યમંત્રીશ્રીની મુલાકાતને અનુલક્ષી ઝગડીયા ખાતે કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરીને સમીક્ષા બેઠક યોજી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k1zt4ykmv4aqaiwb/" left="-10"]

મુખ્યમંત્રીશ્રીની મુલાકાતને અનુલક્ષી ઝગડીયા ખાતે કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરીને સમીક્ષા બેઠક યોજી


મુખ્યમંત્રીશ્રીની મુલાકાતને અનુલક્ષી ઝગડીયા ખાતે કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરીને સમીક્ષા બેઠક યોજી

આગામી તા.૧૯ ફેબ્રુઆરી,રવિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભરૂચ જિલ્લાના ઝગડીયા પાસે દિવ્યાંગો માટેના વૃધ્ધાશ્રમનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે ઝગડીયા ખાતે કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ સ્થળ મુલાકાત લઈને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જેમાં કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ કલેક્ટરશ્રી તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત, જાહેરસભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી.

આ પ્રસંગે જિલ્લા એન.આર.ધાધલશ્રીએ મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોશી,નિવાસી અધિક કલેકટર શ્રી એન આર ધાધલ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]