હિંમતનગર તાલુકામાં નવલપુર ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાની એક મિસાલ સામે આવી - At This Time

હિંમતનગર તાલુકામાં નવલપુર ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાની એક મિસાલ સામે આવી


હિંમતનગર તાલુકાના નવલપુર ગામે 16 7 2022 ના રોજ કડાકા સાથે વીજળી પડવાથી રબારી સમાજના 28 વર્ષીય યુવાનનું મોત થયું હતું તે દરમિયાન સમગ્ર રબારી સમાજ શોક ના માહોલમાં હોવાથી ગાયો ચરાવવા ના જઈ શકતા ઢોર ઘરે ભૂખે મરતા જોઈ

મુસ્લિમ સમાજના યુવાનો તથા વડીલોએ ભેગા મળી સમગ્ર નવલપુર ગામમાંથી ફાળો એકત્રિત કરી તથા ઘાસચારો અંદાજિત ૩ થી ૪ ટેકટર સુકોચારો અને લીલો ચારો ભેગો કરી રબારી સમાજના સંજયભાઈ પભા ભાઈ રબારી ના ઘરે અને આજુબાજુમાં રહેતા રબારી સમાજના દરેક ભાઈઓના ઘરે પણ ઘાસચારો પહોંચાડી ગૌસેવા નું ઉમદા કાર્ય કર્યું હતું

તથા સમગ્ર નવલપુર ગામથી ફાળો એકત્રિત કરી ગામ તરફથી ગામના દરેક ઘરેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી બનતી મદદ પણ કરી હતી
નવલપુર ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભેગા મળી હિંદુ મુસ્લિમ એકતાનો પરિચય આપ્યો હતો.

રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon