સાસરિયાના ત્રાસથી ફાંસો ખાઈ આપઘાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jraz3oluxgddhkvt/" left="-10"]

સાસરિયાના ત્રાસથી ફાંસો ખાઈ આપઘાત


શહેરના પારેવડી ચોક પુલ નીચે આવેલા મહાત્મા ગાંધી પ્લોટ શેરી નંબર 2 માં ગઈકાલે દક્ષાબેન સંજયભાઈ પરમાર નામના પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં મોચી બજાર તિલક પ્લોટમાં રહેતા મૃતક દક્ષાબેન ના પિતા પ્રવિણભાઇ રૂડાભાઇ મકવાણા(ઉ.વ.52)ની ફરિયાદ પરથી મૃતકના પતિ સંજયભાઇ પ્રેમજીભાઇ પરમાર,હંસાબેન પ્રેમજીભાઇ પરમાર,દિનેશભાઇ દેવજીભાઇ પરમાર અને શાંતુબેન દેવજીભાઇ પરમાર વિરુદ્ધ આપઘાત અને ત્રાસ અંગેની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
પ્રવીણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારે ચાર સંતાનમાં સૌથી મોટી હેતલબેન તેનાથી નાની દક્ષા વાળી હતી તેનાથી નાનો નંનદિપ અને સૌથી નાની ઇશાબેન છે.મારી દિકરી હેતલના લગ્ન આજથી બારેક વર્ષ પહેલા અમારી જ્ઞાતી ના રીત રીવાજ મુજબ મહાત્માં ગાંધી પ્લોટ રાજકોટ ખાતે રહેતા દિનેશભાઇ દેવજીભાઈ પરમાર ની સાથે પરણાવેલ અને નાની દિકરી દક્ષાના લગ્ન મહાત્માં ગાંધી પ્લોટ ખાતે રહેતા અમારા જમાઇ દિનેશભાઈના કાકા પ્રેમજીભાઇ ચાનાભાઇના દિકરા સંજય સાથે દક્ષાના લગ્ન થયા હતા.
લગ્નના સાતેક દીવસ સુધી તેની સાસરીમાં રહેલ બાદ અમો તેડી લાવ્યા અને દક્ષાને અષાઢી બીજના દિવસે તેની સાસરીમાં મોકલવાની હતી દરમ્યાન મારી મોટી દિકરી હેતલ ને તેના પતિ એ મારીને કાઢી મુકતા તે અમારા ઘરે રીસામણે આવેલ હોઇ જેથી અમોએ દક્ષાને તેની સાસરીમાં મોકલેલ નહી બાદ ગઇ તા.11/03ના રોજ સવારના દક્ષા તથા હેતલને સાસરીમાં મોકલેલ અને તેજ દિવસે સાંજના આશરે સાડા પાંચ છ વાગ્યે મારી દિકરી દક્ષાનો ફોન મારા ઉપર આવેલ અને તેણે મને જણાવેલ કે મેં સંજયનો રીપોર્ટ મારા ઓળખાતા ડોકટરને મોકલેલ તો મારા સાસુ મને ત્રાસ આપવા લાગ્યા કે તું પુછયા વગર કેમ સંજયનો રીપોર્ટ મોકલ્યો.
બાદમાં હેતલનો ફોન મને આવ્યો તેણે વીડીયો કોલ માં મને જણાવેલ કે પપ્પા તમો દક્ષા ની ચિંતા કરતા નહી તેવી વાત કરેલ ત્યાર બાદ ગઇકાલ તા.12/03ના રોજ સાંજના દક્ષાનો વિડીયો કોલ દીકરી ઇશાબેન ઉપર આવેલ અને ત્યારે દક્ષા સાથે વાત થઈ હતી કે મારી સાસુ હંસાબેન પ્રેમજીભાઇ પરમાર,મોટી સાસુ શાંતુબેન દેવજીભાઇ પરમાર,શાંન્તુબેનનો દિકરો દિનેશ પરમાર તથા પતિ સંજય આ બધા લોકો મને હેરાન કરે છે અને ત્રાસ આપે છે મને આ લોકો અહી નહી રહેવા દે તેમ વાત કરેલ બાદ તા.13/03ના રોજ સાંજના છ વાગ્યે મારી દિકરી. દક્ષાનો ફોન મારા ઉપર આવેલ અને તેણે રોતા રોતા મને તેણે જણાવેલ કે પપ્પા મને લઇ જાવ તેમ વાત કરેલ તો મે તેને જણાવેલ કે તું શાંતી થી અત્યારે રહે હું તને રાત્રે લઇ જઇ શ તેવી વાત કરેલ બાદ તા.13/03ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યે મારા જમાઇ દિનેશ દેવજી પરમાર નો ફોન આવેલ અને તેણે અને તેણે મને જણાવેલ કે દક્ષા એ ગળેફાસો ખાધો શુ કરવા ગળેફાંસો ખાધો છે.આ અંગે આપઘાતની ફરજ અંગેની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]