ગીર સોમનાથમા ગત રાત્રી થી ભારે વરસાદ સુપ્રસિદ્ધ માધવરાયજી ભગાવનનું મંદિર પાણીમા ગરકાવ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jplkkeddk2lzhdfa/" left="-10"]

ગીર સોમનાથમા ગત રાત્રી થી ભારે વરસાદ સુપ્રસિદ્ધ માધવરાયજી ભગાવનનું મંદિર પાણીમા ગરકાવ


ગીર સોમનાથમા ગત રાત્રી થી ભારે વરસાદ સુપ્રસિદ્ધ માધવરાયજી ભગાવનનું મંદિર પાણીમા ગરકાવ...

ગીર સોમનાથ જિલ્લા મા ગત રાત્રી થી ભારે વરસાદ ખાબકતા નદી નાળા અને વેકળા છલકાયા છે
ત્યારે ગીર પંથક મા આવેલી સરસ્વતી નદી મા પૂર આવતા પુરાણી પ્રાચીન એવા યાત્રાધામ પ્રાંચીતીર્થ માં બીરાજતા સુપ્રસિદ્ધ માધવરાયજી ભગાવનનું મંદિર પાણી મા ગરકાવ થયું છે આ કોઈ પ્રથમ વખત બનેલી ઘટના નથી સરસ્વતી નદી ના કાંઠે આવેલ માધવરાઈજી નું મંદિર નદી ના તડ થી થોડું જ ઊંચું છે. ત્યારે નદી મા ઘોડા પુર આવતા મંદિર મા સરસ્વતી નદી જ માધવરાઈ ને સ્નાન કરાવતી હોઈ તેવી પ્રતિકૃતિ રચાઈ છે.
સુત્રાપાડા ના પ્રાચી તીર્થ ખાતે બિરાજમાન માધવરાયજી ભગવાન દશ થી બાર ફૂટ પાણી મા ગરકાવ થયા છે જેના કારણે ભાવિકો નહીં કરી શકે ભગવાનના દર્શન.
પાંચ હજાર વર્ષ જૂનું માધવરાયજી મંદિર મા ભગવાન સરસ્વતી નદી ના કાંઠે નીચે બિરાજે છે જેના કારણે દરવર્ષ ચતુરમાસ દરમ્યાન મોટા ભાગે ભગવાન માઘવરાય પાણી માં જ બીરાજમાન હોય છે. ત્યારે જેમ વરસાદ વધશે તેમ માધવરાઈજી નું મંદિર વધુ ને વધુ પાણી મા સમાઈ જશે એક સમયે માત્ર માધવરાઈ મંદિર નું શિખર જ માત્ર દેખાશે. આમ લોકો માધવરાઈ મંદિર ના દર્શન નહીં કરી શકે પરંતુ શ્રીકૃષ્ણ ની જળ ક્રીડા ના દિવ્ય દ્રશ્ય નો લ્હાવો અચૂક લઈ શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]