વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ સાહેબને વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય બનાવ્યા.- જય જય શ્રી રામના નારા લાગ્યાં - At This Time

વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ સાહેબને વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય બનાવ્યા.- જય જય શ્રી રામના નારા લાગ્યાં


વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ અને ગઢડા પ્રખંડ ટિમ દ્વારા હિત ચિતક સભ્ય બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. ગઢડા રાજકીય આગેવાનો સરકારી કર્મચારીઓ પદાધિકારીઓ સામાજિક આગેવાનો વિવિધ સમાજના પ્રતિનિધિઓ ને વિશ્વ હિન્દુ પરિષદના હિત ચિતક સભ્ય બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટૂંડિયાના સમર્થનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન ગઢડા મામલતદાર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ તેમજ ગઢડા પ્રખંડ દ્વારા શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા ચાલતા હિતચિંતક અભિયાન અંગે જણાવતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ સાહેબે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ અભિયાનને સ્વીકારી પોતે સ્વયંભૂ વિશ્વ હિન્દુ પરિષદ નાં હિત ચિતક અભિયાનમાં જોડાયા હતા. ત્યારે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલ અને હિત ચિંતક સભ્ય બનાવ્યા હતા. તે સમયે જય જય શ્રી રામના નારા સાથે ધાર્મિક માહોલ બન્યો હતો. ગઢડા ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની શુભેચ્છા મુલાકાત અને હિત ચિંતક સભ્ય અભિયાન દરમિયાન બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષશ્રી સતુભાઈ ધાધલ, ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષશ્રી અર્જુનભાઈ રાજ્યગુરુ, મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ સોલંકી જિલ્લા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ડાંગર, ગોપાલભાઈ ગેડિયા, રાજનભાઈ મારુ, સુનિલભાઈ રાવળ કિશોરભાઈ જેઠવા, મેહુલભાઈ સોની, સંજયભાઈ જમોડ, ભાવેશભાઈ શેફાત્રા, યશપાલભાઈ ધાધલ, સૂર્યદીપભાઈ માલા, હિતેશભાઈ હુમલ, જગદીશભાઈ ભુરખીયા, કિશનભાઈ ચૌહાણ, લાલભાઈ ગજ્જર, અનિલભાઈ સોઢાતર, દિપકભાઈ મનાતર સહિત મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડાયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon