મેંદરડા તાલુકા દસ નામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ જસ્મીન હોલ ખાતે સ્નેહમિલન યોજાયું જેમાં સાધુ સંતો સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા - At This Time

મેંદરડા તાલુકા દસ નામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ જસ્મીન હોલ ખાતે સ્નેહમિલન યોજાયું જેમાં સાધુ સંતો સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા


મેંદરડા તાલુકા દશનામ ગૌસ્વામી સાધુ સમાજનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું.
સ્નેહ મિલન ખાસ કરીને સમાજની વિવિધ કામગીરીને લઈ તેમજ સમાજના ઉસ્થાન માટે યોજવામાં આવેલ,જીગ્નેશગીરી અપારનાથી ના પ્રમુખ સ્થાને કાર્યક્રમ યોજાયો
મેંદરડા ના જસ્મીન હોલ ખાતે મેંદરડા તાલુકા દસ નામ ગોસ્વામી સાધુ સમાજનું ભવ્યથી ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં સમાજમાં વિવિધ કામગીરી કરવા માટે અને આવનારા દિવસોમાં સમૂહ લગ્નનું આયોજન થનાર હોય અને હાલના ફાસ્ટ સમયમાં દીકરા દીકરીઓના ઘડતર ભણતર સહિતના અનેક પ્રશ્નો ઉદભવતા હોય છે ત્યારે સમાજને એકજુટ થઈ દરેક પ્રશ્નોના નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવા,સમાજની ગતિવિધિઓ તેજ કરવા માટે દશનામ ગોસ્વામી સાધુ સમાજ યુવા ટીમ દ્વારા સતત સમાજને જાગૃત કરવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે
આ સ્નેહ મિલન સમાજના આગેવાન પ્રમુખ જીગ્નેશગીરી અપારનાથી,મહેશગીરી અપારનાથી,ગિરીશગીરી અપારનાથી તેમજ યુવા ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ જેમાં ખાસ કરીને માણાવદર મેંદરડા ના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મીતાબેન ચાવડા,જિલ્લા પંચાયત સદસ્ય જોલીતભાઈ બુસા, પત્રકાર કમલેશભાઈ મહેતા, તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા, ડો.અપારનાથી, કોષાધ્યક્ષ દિલીપભાઈ સોંદરવા, મહિલા મંડળના દેવીબેન વ્યાસ, જીતુભાઈ પાનસુરીયા, સાધુ સમાજના આગેવાન મહેશગીરી અપારનાથી, ઞીરીશગીરી બાપુ,સાધુ સંતો,ગામે ગામથી પધારેલ સમાજના ભાઈઓ બહેનો સહિત આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમની સાથે જાહેર કરવામાં આવેલ હતું કે આવનારા દિવસોમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વહેલી તકે નામ નોંધણી કરાવી લેવા સૂચના આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશગીરી અપારનાથી દ્વારા કરવામાં આવેલ હતું
અહેવાલ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon