પંચમહાલ જિલ્લામાં તા.૨૭ મી માર્ચના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે - At This Time

પંચમહાલ જિલ્લામાં તા.૨૭ મી માર્ચના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે


અરજદારો તા.૧૦ મી માર્ચ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે

પંચમહાલ,
શુક્રવાર :-પંચમહાલ જિલ્લા માટેનો જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૦૩/૨૦૨૫, ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ(કોન્ફરન્સ હોલ), ગોધરા પંચમહાલ ખાતે યોજાશે.
પંચમહાલ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તા.૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મારફતે મોકલી આપવાના રહેશે.
અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર "જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" એમ સ્પષ્ટ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનું નામ તથા સરનામુ અને પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અથવા સંપર્ક નંબર અવશ્ય લખવાનો રહેશે.
જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં, ત્યારબાદ જે કચેરીનો પ્રશ્ન હોઈ ત્યાં અરજી કરેલ હોવી જોઈએ, જિલ્લાકક્ષાના પ્રશ્ન માટે જિલ્લાના જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજુઆતની નકલ અરજી સાથે જોડવાની રહેશે. તા.૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે અને કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકશે નહીં તેમ કલેકટર કચેરી,પંચમહાલની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image