મહીસાગર જિલ્લાની વૃંદાવન હાઈસ્કૂલ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ શાળા કોલેજોમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જે અંતર્ગત વૃંદાવન હાઈસ્કૂલ,સરાડીયા ખાતે મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સો ટકા મતદાન કરવા માટે સંકલ્પ પત્ર દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને મતની કિંમત સમજાવી લોકોમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે જાગૃતતા ફેલાવવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]