ભાઠીવાડા ગામના વિનોદકુમાર કહે છે કે આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મને ઘર આંગણે જ મળ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ignlox1toxoywuih/" left="-10"]

ભાઠીવાડા ગામના વિનોદકુમાર કહે છે કે આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મને ઘર આંગણે જ મળ્યો


ભાઠીવાડા ગામના વિનોદકુમાર કહે છે કે આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મને ઘર આંગણે જ મળ્યો

વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રણ રથ દાહોદનાં ગામે ગામ પરિભ્રમણ કરી રહ્યાં છે અને લોકો સુધી યોજનાકીય લાભોને પહોંચાડી રહ્યાં છે. દાહોદનાં ભાઠીવાડા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ પહોંચ્યો હતો. જેનું ઉમળકાભેર લોકોએ સ્વાગત કર્યું હતું. અહીં નાગરિકોને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. ભાઠીવાડા ગામના વિનોદકુમાર બિલવાલને વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ અપાયો હતો. તેમને ઘરઆંગણે આવીને સરકારનો લાભ મળતા હરખભેર જણાવ્યું કે, આ યોજનાનો લાભ મળવાથી અમારૂં કુંટુંબ સુરક્ષિત થયું છે. આયુષ્યમાન કાર્ડ થકી કુંટુંબમાં અચાનક આવી પડતા મોટા ખર્ચાઓ સામે સુરક્ષા મળી છે. જે બદલ સરકારનો તેમણે આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]