ધ્રાંગધ્રા આમ આદમી પાટીઁના કાયઁકરનુ પક્ષમાથી રાજીનામુ. - At This Time

ધ્રાંગધ્રા આમ આદમી પાટીઁના કાયઁકરનુ પક્ષમાથી રાજીનામુ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા આમ આદમી પાટીઁના વિવાદાસ્પદ ઉમેદવાર વાઘજીભાઇ પટેલ સામે ફરી એક નવો વિવાદ ઉભો થયો છે જેમા ધ્રાંગધ્રા આપના જુના કાયઁકર હરપાલભાઇ દલવાડી દ્વારા આમ આદમી પાટીઁ માથી રાજીનામુ આપી ઉમેદવાર પર ગંભીર આક્ષેપ કયાઁ હતા જેમા હરપાલભાઇ દલવાડી દ્વારા જણાવાયુ હતુ કે ૧૮ નવેમ્બરના રોજ સવારે પોતે હળવદ રોડ સ્થિત આમ આદમી પાટીઁના કાયાઁલય પર જતા ઉમેદવાર તથા અન્ય હોદ્દેદાર દ્વારા હરપાલભાઇને જેમ તેમ બોલી કાયાઁલય પર આવવાની મનાઇ કરી હતી જેથી બંન્ને વચ્ચે શતાબ્દી યુધ્ધ થયુ હતુ અંતે કાયઁકર હરપાલભાઇ દલવાડીને સમજાવી ત્યાથી મોકલી દેવાયા હતા. જ્યારે ઉલ્લેખનીય છે કે હરપાલભાઇ દલવાડી આમ આદમી પાટીઁના સહ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા અને ધ્રાંગધ્રા બેઠક પર આમ આદમી પાટીઁ દ્વારા વાઘજીભાઇ પટેલને ઉમેદવાર જાહેર કરતા જ ૧૫ હોદ્દેદારોએ હોદ્દા પરથી રાજીનામુ ધરવામાં તેઓ પણ હતા પરંતુ પક્ષમાથી રાજીનામુ આપ્યુ ન હતુ ત્યારે આ પ્રકારે ઉમેદવાર વચ્ચે બોલાચાલી થતા હવે પક્ષમાથી પણ રાજીનામુ ધરી હરપાલભાઇ દલવાડી દ્વારા અન્ય પક્ષના જોવાના સંકેત આપ્યા હતા. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon