નિરમા લિમિટેડનાં સૌજન્ય થી શિશુવિહાર ની ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ - At This Time

નિરમા લિમિટેડનાં સૌજન્ય થી શિશુવિહાર ની ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ


નિરમા લિમિટેડનાં સૌજન્ય થી શિશુવિહાર ની ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. તા.૨૯ નવેમ્બર યોજાયેલ શિબિરમાં ૨૨૬ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડો અરવિંદભાઈ ત્રિવેદી ડૉ.અભિલાષા બહેન સોનપાલ ડૉ.આકાંક્ષાબહેન દેસાઈ શ્રી અંકિતાબહેન ભટ્ટ શ્રી રેખાબહેન ભટ્ટ શુભમભાઈ ગોહેલ, કમલેશભાઈ વેગડ નિરમા લિમિટેડ મેડિકલ ડિપાર્ટમેન્ટના જયભાઈ દવે તથા ગામનાં તલાટી મંત્રી સંજય ભાઈ તથા આચાર્ય ચેતનભાઈ મકવાણા ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક રાજુભાઈ મકવાણાએ કર્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image