વડનગર ખાતે મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન વિશ્વશાંતિ યજ્ઞ ભવ્ય પારાયણ નો ક્રાયૅક્રમ યોજાઈ ગયો - At This Time

વડનગર ખાતે મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન વિશ્વશાંતિ યજ્ઞ ભવ્ય પારાયણ નો ક્રાયૅક્રમ યોજાઈ ગયો


મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વડનગર ખાતે વિશ્વશાંતિ યજ્ઞ પારાયણ યોજાઈ ગયો

વડનગર ખાતે મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન વિશ્વશાંતિ યજ્ઞ ભવ્ય પારાયણ નો ક્રાયૅક્રમ યોજાઈ ગયો

વડનગર ખાતે મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિશ્વશાંતિ યજ્ઞ પારાયણ આયોજન કરવામાં આવ્યું હતું

આમ જોવા જઈએ તો વડનગર એ સંતો મહંતો સાધુ સંન્યાસી ઓ ની ભૂમિ છે. આ ભૂમિ ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન આયોજિત વિશ્વશાંતિ યજ્ઞ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. ૦૧/૦૨/૨૦૨૩ બુધવાર આ વિશ્વ શાંતિ યજ્ઞ નો પ્રારંભ થયો હતો. અને ૦૨/૦૨/૨૦૨૩ ના ગુરુવારે આ યજ્ઞ નુ પૂર્ણાહુતિ થઈ હતી .તેમાં સાંખ્યોગી બા શ્રી રાધાબા તથા પ્રવિણાબાઅને શ્રી સ્વામીનારાયણ ગાદી ની મંડળ ની બહેનો થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું .
આ ઉપરાંત મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન વારસદાર નાન મોહોદય દધી આચાર્ય શ્રીજીતેન્દ્રયપ્રિયદાસજી સ્વામી ના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ તેમના શિષ્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહરાજ વ્યાસપીઠ ને વડનગર ની ધર્મપ્રેમી જનતાએ પહેલા દિવસે પારાયણ અને ભક્તિસંધ્યા માં ઓતપ્રોત કરી નાખ્યા હતાં. તેથી ઘાર્મિકતા થી આધ્યાત્મિકતા જવું હોય તો શુધ્ધ વિચારો અને મંત્રજાપ વગેરે આધ્યાત્મિકતા માં જવું હોય તો રસ્તો અલગ અલગ છે. પણ આધ્યાત્મિકતા પરમતત્વ પામવાન રસ્તો એક જ છે. કંઈ રીતે જવું તે આવા શ્રી સ્વામીનારાયણ ના સત્સંગ માં સાંભળી ને દરેક માનવી એ અંતરમન ઉર્જા ને ઓળખવા ને પ્રયત્ન કરે તેવું પણ સ્વામીજી એ કહ્યું હતું.
સ્વામીજી ને બગી માં બેસાડી ને શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તેની સાથે વ્યસનમુક્તિની રેલી ભવ્ય કાઢી હતી. આ સ્વામીજી એ સન ૧૯૮૪ માં તેમાના ગુરુજી એટલે મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન ના મહંત એ વડનગર ખાતે આવી જ પારાયણ કરી હતી તે સમયે રાધાબા એજ મણિનગરશ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન ના સ્વામીજી ને સન ૧૯૮૪ માં વડનગર ખાતે ગજરાજ પર બેસાડી ને સ્વામી બાપ ની શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી હતી. અને પારાયણ પણ કરી હતી તેથી સ્વામીજી એ તેમના ગુરુના ગુરુ ને યાદ તાજી કરી હતી. અને આ વખતે પણ રાધાબા એ અંતરમન થી સ્વામીબાપાએ પ્રાર્થના કરી હતી તેથી તેમનાં અંતરમન અરજી સાંભળી ને આ વડનગર ખાતે બે દિવસ નો મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ભવ્ય પારાયણ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સોમાભાઈ દામોદરદાસ મોદી, વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી ,વિદેશી પધારેલા મહેમાનશ્રી, તથા વડનગર ની ધર્મપ્રેમી જનતા એ, બહાર થી પધારેલા મહેમાનો, વગેરે મહાનુભાવો, સાધુ સંતો વડનગર ના અગ્રણી નાગરિકો, દરેક માનવી એ આ સત્સંગ નો લાભ લીધો હતો અને ધાર્મિકતા માં થી આધ્યાત્મિકતાની ચેતના જાગી હતી અને ભાવિ ભક્તજનોની મોટી સંખ્યામાં આ વિશ્વ શાંતિ યજ્ઞ પારાયણ ને સાંભળવા માટે ઉમટી હતી.

🙏 જય શ્રી સ્વામીનારાયણ 🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon