રાજકોટમાં મારે દરવખતે ઓળખાણ આપવાની...’એરપોર્ટ પર પ્રવેશ મામલે અરવિંદ રૈયાણી વિફર્યા - At This Time

રાજકોટમાં મારે દરવખતે ઓળખાણ આપવાની…’એરપોર્ટ પર પ્રવેશ મામલે અરવિંદ રૈયાણી વિફર્યા


રાજકોટ,તા. 14 : રાજકોટ એરપોર્ટ પર દિલ્હીથી આવેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને સત્કારવા ભાજપના નેતાઓ પહોંચ્યા હતા. ત્યારે વિમાની મથકમાં પ્રવેશ મામલે રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીને માથાકુટ થઇ હતી અને દરવખતે ઓળખાણ આપવાની ? તેવા વિધાનો કરીને રોષે ભરાયા હતા.

કેન્દ્રના વ્યાપાર પ્રધાન પિયુષ ગોયલનું આગમન હોવાથી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઈ મોકરીયા, મંત્રી અરવિંદ રૈયાણી સહિતના આગેવાનો સવારે એરપોર્ટ પહોંચ્યા હતા. વિમાની મથકમાં પ્રવેશના આકરા નિયમો હોય છે. પેસેન્જર વિમાનના આગમન વખતે ખાસ વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. પિયુષ ગોયલને સત્કારવા એરપોર્ટમાં પ્રવેશ વખતે સુરક્ષા તંત્ર દ્વારા અટકાવીને પુછતાછ કરવામાં આવી હતી ત્યારે અરવિંદ રૈયાણી વિફર્યા હતા અને દર વખતે ઓળખાણ આપવી પડે તેમ કહીને ઝાટક્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon