અમિત શાહ ની ઉપસ્થિતી માં વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hrsx59n3ybewb45e/" left="-10"]

અમિત શાહ ની ઉપસ્થિતી માં વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું.


અમરેલી જિલ્લાની વિધાનસભા બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપએ પ્રચાર શરુ કર્યો છે. જેમાં સ્ટાર પ્રચારકો અને દિગ્ગજો દોડધામ કરી સભાઓ કરી રહ્યા છે. મતદાનની તારીખો નજીક હોવાથી ભાજપ દ્વારા પ્રચાર વધારી સભાઓ કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ સહિત નેતાઓ સતત દોડધામ કરી બેઠકો યોજી સભાઓ કરી રહ્યા છે. ત્યારે રાજુલા જાફરાબાદ અને ખાંભા વિધાનસભા બેઠક ઉમેદવાર હીરાભાઈ સોલંકી ને વિજય આપવા માટે જાફરાબાદ જી.એચ.સી.એલ ગ્રાઉન્ડ ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ આ સંમેલનમાં ભાજપના હોદ્દેદારો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યોની તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓ વિશેની માહિતી આપી પ્રચાર કરવામાં આવ્યો હતો, અને કોગ્રેસ ના ખૂબ મોટા ગજા ના નેતા અને કૉંગ્રેસ પ્રદેશ મંત્રી બાબુ રામે પોતાના સમર્થકો સાથે અમિતશાહ ના હસ્તે કેસરિયો ખેસ પહેર્યો હતો અને વિધિવત રીતે ભાજપ માં જોડાયા હતા. આ કાર્યકમ આહીર સમાજ અગ્રણી જે.બી.ભાઈ લાખનોત્રા, સુકલભાઈબલદાણીયા,મીઠાભાઈ , નાજા ભાઈ પિંજર,કરશનભાઈ ખાખબાઈ વાળા,હરસુર ભાઈ પિંજર પીઠભાઈ નકુમ બાબુભાઈ જાલંધરા સહિતના ભાજપ ના ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત માં અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ, અમરેલી જિલ્લા પોલીસ નાયબ અધિક્ષક હરેશ વોરા, તેમજ જાફરાબાદ પોલીસ મથક નો સમગ્ર સ્ટાફ હાજર રહીને ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

રીપોર્ટ:- આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]