બરફનો પહાડ તૂટી પડતા જવાનોના જીવ તાળવે ચોંટ્યા, VIDEO:કેમ્પથી 200 મીટર દૂર જ થયું એવલાન્ચ, બહાર ઊભેલાં જવાનોએ માંડ-માંડ બચાવ્યો પોતાનો જીવ
હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં રવિવારે બપોરે બરફના તોફાનમાંથી ITBP જવાનો માંડ માંડ બચી ગયા. ITBP કેમ્પથી 200 ફૂટ દૂર અવલાન્ચ અટકી ગયું. આના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ ડીસી રાહુલ કુમારે જણાવ્યું હતું કે સૈનિકો કાઝા મંડલના ગ્યુ ખાતે સ્થિત આઇટીબીપી કેમ્પમાં રસ્તા પરથી બરફ દૂર કરવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન પર્વતો પરથી બરફ પડવા લાગ્યો. એવલાન્ચ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું હતું, પરંતુ તે કેમ્પથી માત્ર 200 ફૂટ દૂર તે અટકી ગયું. હવામાન પણ સાફ થઈ ગયું છે, પરંતુ તેમ છતાં એવલાન્ચનો ભય હજુ પણ યથાવત છે. તેમણે જિલ્લાના લોકોને ખતરનાક વિસ્તારોમાં જવાનું ટાળવાની અપીલ કરી છે. એવલાન્ચની 4 તસવીરો... જ્યાં અવલાન્ચ થયો હતો ત્યાંથી ચીન સરહદ 5 કિમી દૂર છે
લાહૌલ સ્પીતિના ગ્યુમાં ITBP ની 17મી બટાલિયનની એક પોસ્ટ છે. અહીં લગભગ 20 સૈનિકો તૈનાત છે. તે ગ્યુ ગામથી લગભગ એક કિલોમીટર દૂર છે. ચીન સરહદ અહીંથી લગભગ 5 કિલોમીટર દૂર છે. શિયાળા દરમિયાન, ગ્યુ અને સમગ્ર લાહૌલ સ્પીતિ જિલ્લામાં ગ્લેશિયર તૂટી પડવાની ઘટનાઓ સામાન્ય છે. જોકે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ઓછી હિમવર્ષાને કારણે, અવલાન્ચની ઘટનાઓમાં ઘટાડો થયો છે, પરંતુ આ વખતે, 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી, સતત ભારે હિમવર્ષા થઈ રહી છે. વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ (IMD)મુજબ, આજે રાત્રે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. તેની અસરને કારણે, 3 માર્ચ પછી વરસાદ અને હિમવર્ષાનો તબક્કો ફરી શરૂ થવાની ધારણા છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ હજુ પણ બંધ છે. રાજ્યમાં 480 રસ્તા અને 4 નેશનલ હાઈવે હજુ પણ બંધ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, શનિવાર સાંજ સુધી 2,000થી વધુ ટ્રાન્સફોર્મર અને 434 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ હતી. હિમાચલમાં, કુલ્લુ જિલ્લાના ભુંતરમાં સૌથી વધુ 112 મીમી વરસાદ નોંધાયો હતો. કુલ્લુ જિલ્લાના કોઠીમાં મહત્તમ 15 સેમી હિમવર્ષા થઈ. IMD અનુસાર, 2 માર્ચની રાત સુધી હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. 3 માર્ચની સવારથી ભારે વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 6 માર્ચથી તાપમાન ધીમે ધીમે વધશે. સંપૂર્ણ સમાચાર વાંચો... , હિમપ્રપાત સંબંધિત આ સમાચાર પણ વાંચો... ઉત્તરાખંડ એવલાન્ચ, 3 દિવસ પછી 3 મૃતદેહ મળ્યા:અત્યાર સુધી 7 મજૂરોનાં મોત, 1ની શોધખોળ શરૂ; ડ્રોન-થર્મલ કેમેરા વડે સર્ચિંગ ઉત્તરાખંડના ચમોલીમાં 28 ફેબ્રુઆરીએ થયેલા હિમપ્રપાતમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાનું કામ ત્રીજા દિવસે પણ ચાલુ છે. 3 દિવસ પછી 3 મૃતદેહ મળ્યા છે. અત્યાર સુધી 7 મજૂરોનાં મોત, 1ની શોધખોળ શરૂ. સંપૂર્ણ સમાચાર વાંચો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
