બોટાદ ખાતે ભવ્ય શક્રસ્તવ અભિષેકનું આયોજન કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hba6ee4ngst07wxb/" left="-10"]

બોટાદ ખાતે ભવ્ય શક્રસ્તવ અભિષેકનું આયોજન કરાયું


બોટાદ શહેરમાં આવેલ ભગવાન આદિનાથ દાદા ના જિનાલયે ભવ્ય શક્રસ્તવ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં બોટાદના જૈન સમાજના વ્યક્તિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ શક્રસ્તવ અભિષેકનું આયોજન બોટાદના બગડીયા નાનચંદભાઇ રૂપાભાઈ ના પરિવાર તરફથી કરવામાં આવેલ હતું આ શક્રસ્તવ અભિષેકના મહોત્સવમાં પૂજન તેમજ સ્વામી વાત્સલ્ય તેમજ બહેનોની સમુહ સામાયિક નું આયોજન કરવામાં આવ્યું હતું તથા માતૃ વંદના તેમજ પિતૃ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં બગડીયા નાનચંદભાઈ રૂપાભાઈ પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને તેઓના તરફથી આ મહા શક્રસ્તવ અભિષેક મહોત્સવનું આયોજન કરાયું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]