રાજુલા બાપુનગર બસ શરૂ કરવામાં આવી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની રજુઆત બાદ સફળતા - At This Time

રાજુલા બાપુનગર બસ શરૂ કરવામાં આવી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની રજુઆત બાદ સફળતા


રાજુલા બાપુનગર લક્ઝરી એસટી બસ શરૂ કરવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી જાવા પામી હતી

જાણવા મળતી વિગત મુજબ રાજુલા બાપુનગર બસ માટે માંગણી હતી આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ એસ ટી નિગમ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી

આજરોજ રાજુલા-જાફરાબાદના મુસાફરો માટે રાજુલા-બાપુનગર એસ.ટી લક્ઝરી બસ શરૂ કરવામા આવતા ધારાસભ્ય કાર્યાલય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને વેપારીઓ તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપવામાં આવી હતી.

આ તકે જીજ્ઞેશભાઈ પટેલ મુકેશભાઈ ગુજરીયા કાનાભાઈ ગોહિલ રવુંભાઈ ખુમાણ વેપારી મંડળના પૂર્વ પ્રમુખ બકુલભાઈ વોરા હાલના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા સહિતના શહેરીજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ:- આસિફ કાદરી રાજુલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon