ક્રિકેટર, ચીફ જસ્ટિસ, સાંસદ, બિઝનેસમેન...:બાંગ્લાદેશના પ્રદર્શનકારીઓએ કોઈના ઘરને ના છોડ્યા, દરેક જગ્યાએ લૂંટફાટ અને આગચંપી... PHOTOS - At This Time

ક્રિકેટર, ચીફ જસ્ટિસ, સાંસદ, બિઝનેસમેન…:બાંગ્લાદેશના પ્રદર્શનકારીઓએ કોઈના ઘરને ના છોડ્યા, દરેક જગ્યાએ લૂંટફાટ અને આગચંપી… PHOTOS


બાંગ્લાદેશ અશાંત છે. લોકોમાં રોષ છે. પ્રદર્શનકારીઓની નિર્દયતા જોઈને દરેક વ્યક્તિ ગભરાઈ જાય છે. વિશ્વના પડોશી દેશો પણ ચિંતિત છે. બળવાખોર ટોળું વડા પ્રધાનના નિવાસસ્થાનથી લઈને સંસદ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશથી લઈને ક્રિકેટરો, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓના ઘરોને નિશાન બનાવી રહ્યું છે. એવું કહી શકાય કે બાંગ્લાદેશમાં ટોળું કોઈને છોડતું નથી અને દરેક જગ્યાએ લૂંટફાટ અને આગચંપી થઈ રહી છે. શાળાઓથી લઈને વાહનવ્યવહાર સુધી બધું જ બંધ છે. કારખાનાઓને તાળા મારી દેવામાં આવ્યા છે. આ ટોળું હવે ઘરોમાં ઘૂસીને હુમલા કરી રહ્યું છે. લઘુમતી હિન્દુઓ પણ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. સોમવારે ટોળાએ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝાના ઘરને આગચાંપી દીધી હતી. મુર્તઝા સત્તાધારી અવામી લીગ પાર્ટીના સાંસદ પણ છે. આ વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેઓ સતત બીજી વખત જીત્યા હતા. તેઓ ખુલના વિભાગના નરેલ-2 લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ પ્રદર્શનકારીઓ મુર્તઝાના નરેલ સ્થિત ઘરે પહોંચ્યા અને તોડફોડ શરૂ કરી દીધી. બાદમાં ઘરને આગ ચાંપવામાં આવી હતી. દેખાવકારોએ ઢાકામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના ઘરમાં પણ લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત રામના વિસ્તારમાં સ્થિત પોલીસ અધિક્ષકના નિવાસસ્થાને પણ તોડફોડ કરવામાં આવી છે. ટોળું બંને રહેઠાણમાંથી ફર્નિચર અને અન્ય કિંમતી સામાન પણ લઈ જતાં જોવા મળ્યું હતું. બંને આવાસની સુરક્ષા માટે ન તો પોલીસ કે ન તો સુરક્ષાકર્મીઓ જોવા મળ્યા છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, ટોળાએ બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ અને એસપીના નિવાસસ્થાન પર હુમલો કર્યો અને તોડફોડ કરી. જ્યારે આ હુમલો થયો ત્યારે બંને ઘર ખાલી હતા. પરિવારના સભ્યો ઘરની બહાર નીકળી ગયા હતા. તેમના ગયા બાદ તમામ સુરક્ષાકર્મીઓ પણ ઘરની બહાર નીકળી ગયા હતા. ઢાકા ટ્રિબ્યુન અનુસાર સોમવારે જેસોરની એક હોટલમાં લાગેલી આગમાં 8 લોકોનાx મોત થયા હતા. લગભગ 84 લોકો ઘાયલ થયા છે. હોટલના માલિક જેસોર જિલ્લા અવામી લીગના જનરલ સેક્રેટરી અને બિઝનેસમેન શાહીન ચકલાદાર છે. ડેપ્યુટી કમિશનર અબરારુલ ઈસ્લામે આગની વાતને સમર્થન આપ્યું હતું. મૃતકોમાં બેની ઓળખ 20 વર્ષીય ચયન અને 19 વર્ષીય સેજાન હુસૈન તરીકે થઈ છે. જશોર જનરલ હોસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું હતું કે શહેરમાં વિવિધ સ્થળોએ હજારો લોકો શેખ હસીનાના રાજીનામાની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ ચિત્તમોર વિસ્તારમાં જબીર હોટલમાં આગ લગાવી અને તોડફોડ કરી. જિલ્લા અવામી લીગની ઓફિસ અને શારશા અને બેનાપોલ વિસ્તારમાં ત્રણ વધુ અવામી લીગ નેતાઓના ઘરો પર પણ બદમાશોએ હુમલો કર્યો હતો. ગઈકાલ સુધી જે તેમનું વડાપ્રધાન કાર્યાલય હતું, તેમાં ગેટ કૂદીને પ્રદર્શનકારી ઘૂસી ગયા. ત્યાં લૂટ મચાવી, ભોજન કર્યું અને સૂઈ પણ ગયા. બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટના રોજ શું-શું થયું તે 20 તસવીર અને વીડિયોઝમાં જુઓ બાંગ્લાદેશના 3 વીડિયો શેખ હસીના 45 દિવસ બાદ 5 ઓગસ્ટના રોજ ફરી ભારત પહોંચ્યા હતા. અગાઉ, જ્યારે તેઓ 21 જૂને ભારત આવ્યા હતા, ત્યારે પીએમ મોદીએ તેમનું રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું. આ વખતે કહાની અલગ છે. હસીના ભારત ચોક્કસપણે આવ્યા છે, પરંતુ પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ. એવા સમયે જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન કાર્યાલય પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓનો કબજો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image