રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ભરૂચની ટીમ દ્વારા વિના મુલ્યે તિરંગા વિતરણનું આયોજન કરાયું. - At This Time

રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ભરૂચની ટીમ દ્વારા વિના મુલ્યે તિરંગા વિતરણનું આયોજન કરાયું.


રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ભરૂચની ટીમ દ્વારા વિના મુલ્યે તિરંગા વિતરણનું આયોજન કરાયું.

સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રવાદી પસમાંદા મહાજના જિલ્લાના હોદ્દેદારો દ્વારા ભરૂચ, નબીપુર અને વાગરા ખાતે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને વિના મુલ્યે તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે સવારે 11 કલાકે તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજના હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામથી હાજર રહ્યા હતા. તેમજ બપોરે 2 કલાકે નબીપુર ઝનોર ચોકડી ખાતે તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું. અને સાંજે 5 વાગ્યે વાગરા ખાતે ડેપો સર્કલ પાસે ભાજપના આગેવાન વાગરા તાલુકા પંચાયતના સદસ્ય ઇમરાનભાઈ ભટ્ટી અને વાગરાના જાગૃત નાગરિકો તિરંગા વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા. અને સાથે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદાના ભરૂચ જિલ્લા ટીમે આવતીકાલે સ્વતંત્રતા દિનની દેશ વાસીઓ ને શુભકામના ઓ પાઠવી હતી.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.