" વડોદરા સ્ટેશનરી ગ્રુપ દ્વારા ૭૬ - માં સ્વાતંત્ર્ય પર્વની નિમિત્તે તિરંગા યાત્રા " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gpqsdsuhjuct9vkx/" left="-10"]

” વડોદરા સ્ટેશનરી ગ્રુપ દ્વારા ૭૬ – માં સ્વાતંત્ર્ય પર્વની નિમિત્તે તિરંગા યાત્રા “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટેનરી સેલ્સ ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. જેમાં આજરોજ ૭૬ - માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા રાષ્ટ્ર ધ્વજનું માન - સન્માન જળવાઇ રહે, તેમજ વડાપ્રધાન મોદીજી પ્રેરિત હર ઘર તિરંગા કાર્યક્રમને પ્રોત્સાહન મળે તે હેતુથી સ્ટેશનરી સેલ્સ ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટેશનરી સેલ્સ ગ્રુપમાં એજ્યુકેશન અને સ્ટેશનરીને લગતા વ્યવસાયમાં જોડાયેલા તમામ સેલ્સમેનો અને વેપારીઓ દ્વારા એક ગ્રુપ ઉભુ કરીને વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
આન - બાન - શાન સાથે સ્વાતંત્ર્ય પર્વના દિવસે સ્ટેશનરી સેલ્સ ગ્રુપ દ્વારા યુનિટી બનાવી તિરંગા યાત્રા યોજી હતી. સાથે તેઓએ ત્રણ શપથ પણ લીધાછે કે, અમો પાણીબચાવીશું, દેશમાં સ્વછતા જાવીશું અને આત્મનિર્ભર બનીશું. આ ત્રણે બાબતે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ આ ગ્રુપ દ્વારા કરવામાં આવશે. આ યાત્રા નવલખી મેદાન થી શરૂ કરી આજવારોડ , વાધોડીયારોડ, માંજલપુર, તરસાલી જેવા ૧૨ જેટલાં વિસ્તારોમાં ફરી હતી અને નવલખી મેદાન ખાતે યાત્રાનું સમાપન કર્યું હતું. આ સેલ્સ ગૃપે વેપારી મિત્રોને આ મુહિમમાં જોડાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે વડોદરા સ્ટેશનરી સેલ્સ ગૃપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]