રાજકોટ શહેર તા.૩૧/૧૨ દરમ્યાન વ્યવસાય વેરો ભરનાર નાગરિકોને વ્યાજ માફી યોજના અમલમાં રહેશે. - At This Time

રાજકોટ શહેર તા.૩૧/૧૨ દરમ્યાન વ્યવસાય વેરો ભરનાર નાગરિકોને વ્યાજ માફી યોજના અમલમાં રહેશે.


રાજકોટ શહેર તા.૨૯/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીના નિર્ણય મુજબ તા.૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન વ્યવસાય વેરો ભરનાર નાગરિકોને વ્યાજ માફી યોજના અમલમાં રહેશે તેમજ તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં જે લોકોએ પોતાના વ્યવસાયની નોંધણી ન કરાવી હોય અને હવે નોંધણી કરાવે તો તેઓને પણ પાછલી વ્યવસાય વેરા બાકીની રકમ પર પણ વ્યાજ માફી મળવા પાત્ર છે તેમ મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. વ્યવસાયવેરાની ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ, ૧૯૭૬ હેઠળ વસુલાત કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૬ સુધી વ્યવસાયવેરાની નોંધણી અને વસુલાત રાજ્ય વેચાણવેરા વિભાગ દ્વારા કરવામાં આવતી હતી. ૧૯૭૬નાં સદરહુ અધિનિયમ હેઠળ વેરો લેવાના અને વેરાની વસુલાતના હેતુ માટે વસુલાત એજન્ટ તરીકે મુંબઈ પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૭૬ હેઠળ રચાયેલ મ્યુનીસીપલ કોર્પોરેશનની નિમણુંક તા.૨૦/૯/૨૦૦૬ના રોજ કરવામાં આવી. જે અન્વયે વ્યવસાયવેરાની નોંધણી અને વસુલાતની કામગીરી કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા વ્યવસાયવેરા વિભાગ દ્વારા બિનનોંધાયેલ વ્યવસાયિકોની નોંધણી વખતે મોડા રજીસ્ટ્રેશન બદલ તેમજ નોંધાયેલ વ્યવસાયિકોની મોડી વસુલ આવતી રકમ પર અલગથી હાલ કોઈપણ પ્રકારનો દંડ કે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ મોડા રજીસ્ટ્રેશન બદલ વ્યવસાય શરૂ કર્યાની તારીખથી તેમજ નોંધાયેલ વ્યવાસાયીકોના બાકી સમયગાળાના વ્યવસાયવેરા પર વાર્ષિક ૧૮% ના દરે સાદું વ્યાજ વસુલ કરવામાં આવે છે. ગુજરાત સરકારશ્રીનાં નાણા વિભાગ દ્વારા વ્યવસાયવેરાની વસુલાત માટે વ્યવસાયવેરામાં નોંધાયેલા તેમજ બિનનોંધાયેલ વ્યવસાયિકો અને નીયોક્તાઓ (એમ્પ્લોયર) માટે તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી વ્યવસાય વેરા સમાધાન યોજના ૨૦૨૨ અમલમાં મૂકવામાં આવેલ છે. સમાધાન યોજના કુલ મુખ્ય ૨ ભાગ વ્યવસાય કર્તા અને નિયોક્તા એમ કુલ ૨ ભાગમાં જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજનાના અમલીકરણમાં એકસુત્રતા જળવાઈ તે હેતુસર માર્ગદર્શક સૂચનાઓ રાજકોટ મહાનગરપાલિકાના હુકમથી આપવામાં આવેલ છે. મુખ્ય જોગવાઇઓ નીચે મુજબ છે. (૧) અનુભવે જણાયું છે કે જે વ્યવ્સાયકર્તા/નિયોક્તાઓ રાજકોટ મહાનગર્પાલિકની વ્યવસાય વેરા શાખામાં નોંધણી કરાવેલ છે અને નોંધણી નંબર ધરાવે છે. અચૂકપણે તેઓને લગત માહિતી જેવી કેપેઢીનાં માલિક, એડ્રેસ, ધંધાનું માલિકી માળખું, કર્મચારીઓની સંખ્યા, વ્યવસાયનો પ્રકાર, જીએસટી નંબર વિગેરે સમયાંતરે ફેરફાર થયેલ હોય છે. આ માહિતી રાજકોટ મહાનગરપાલિકાનાં રેકર્ડ પર અપડેટ થવા જરૂરી હોય, વોર્ડ ઓફિસ ખાતે “નિયત વ્યવસાયને લાગુ પડતાં હોય તે ”KYC દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. જેથી કરીને વ્યવસાય કર્તા ની અપડેટેડ માહિતી રેકર્ડ પર નોંધાઈ શકે. (૨) જે વ્યવ્સાયકર્તા/નિયોક્તાઓએ નોંધણી નંબર (PEC અથવા PRC નંબર) મેળવેલ નથી. તેઓએ નોંધણી માટે જરૂરી દસ્તાવેજો સાથે નિયત ફોર્મ ભરી વોર્ડ ઓફિસે રજૂ કરવાના રહેશે. જેનાં પરથી તેઓની જરૂરી નોંધણી કરી આગળની કાર્યવાહી થઈ શકશે. (૩) નોંધણી કરાયેલ તમામ PEC-PRC નંબર પ્રોપર્ટી નંબર (મિલકત વેરા ઘર નંબર) સાથે લિન્ક કરવામાં આવશે. જેથી કરીને કોઈપણ અરજદાર નાણાકીય વર્ષની શરૂઆતમાં મિલકત વેરા ચુકવણી સાથે, હવે પછીથી વ્યવસાય વેરાની ચુકવણી પણ ઓનલાઈન કરી શકશે. (૪) વ્યવસાય વેરા સમાધાન યોજના તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેનાર છે. આ સમય દરમિયાન કોઈપણ વ્યવસાય વેરા પાત્ર વ્યવસાય કર્તા/નિયોક્તા જેમણે નોંધણી કરાવી હોય પરંતુ બાકી વેરાનું ચૂકવણું કરેલ ન હોય. અથવા કોઈપણ વ્યવસાય વેરા પાત્ર વ્યવસાય કર્તા/નિયોક્તા જેમણે નોંધણી પણ કરાવેલ નથી, બંને પ્રકારનાં આસામીઓ, આ સમય મર્યાદામાં બાકી વેરો ચૂકવી, આ યોજનાનો લાભ નિયત તારીખમાં લઈ શકશે. તા.૩૧/૧૨/૨૦૨૨ બાદ આ યોજના અમલમાં રહેશે નહીં અને નિયત વ્યાજ વસૂલવા પાત્ર રહેશે. જેની તમામ લોકોએ નોંધ લેવી. (૫) વ્યવસાય વેરા સમાધાન યોજનાની તમામ કામગીરી લગત વોર્ડ ઓફિસ કક્ષાએથી કરવામાં આવનાર છે. જેથી આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક તમામ લોકોએ નિયત દસ્તાવેજો સાથે લગત વોર્ડનાં વોર્ડ ઓફિસરને અરજી કરવાની રહેશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon