સંબુદ્ધ ગૌતમ બુદ્ધ એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ*દ્વારા અમરનગર ગામમાં એડવોકેટ જીતુભાઈ મકવાણા અને દ્વારા શિક્ષણ અને રોજગાર શિબિર નું આયોજન કરવામા આવેલ. - At This Time

સંબુદ્ધ ગૌતમ બુદ્ધ એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ*દ્વારા અમરનગર ગામમાં એડવોકેટ જીતુભાઈ મકવાણા અને દ્વારા શિક્ષણ અને રોજગાર શિબિર નું આયોજન કરવામા આવેલ.


*સંબુદ્ધ ગૌતમ બુદ્ધ એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ*

અમરનગર ગામમાં એડવોકેટ જીતુભાઈ મકવાણા અને દ્વારા શિક્ષણ અને રોજગાર શિબિર નું આયોજન કરવામા આવેલ.
*સંબુદ્ધ ગૌતમ બુદ્ધ એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ* દ્વારા ચાલતુ *મિશન E2BS* ના વિષય માં શિક્ષણ અને રોજગાર મહત્વનો મુદો છે.
શિક્ષણ અને રોજગાર વિષય પર નંદરાજ બૌદ્ધ અને દુદાભાઈ દવેરા એ લોકોને જીણવટ ભર્યુ સમજાવ્યુ અને કહ્યુ કે હવે નેતાગિરી અને ભાષણબાજી નો સમય નથી. આપણી વર્તમાનની પેઢી અને આવનાર પેઢી ના કલ્યાણ ને વિકાસ માટે કમરકસીને શિક્ષણ અને રોજગાર મુદા પર કામે લાગી જવાનુ છે.

બધાની પહેલા બહુજન સમાજે ફુલે - આંબેડકરી વિચારધારા પર આપણે આપણી સ્કૂલો, હોસ્ટેલો, કોલેજો, યુનિવર્સિટીઓ નું નિર્માણ કરવાનું થાય છે.

આમરનગર ગામ અને આજુબાજુ ના ગામના ક્રાંતિકારી વિચારધારા વારા અને બુદ્ધીજીવી સ્ત્રી / પુરૂષો ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષણ અને રોજગાર શિબિર સફળ બનાવવા માટે અલ્પેશભાઈ અને જીતુભાઈએ પૂરી તૈયારીઓ કરી હતી.

એડવોકેટ જીતુભાઈ મકવાણા,અલ્પેશભાઈ પરમાર અને અમરનગર ના રહેવાસીઓએ તેમજ આજુબાજુ ના ગામના લોકોએ *સંબુદ્ધ ટ્રસ્ટ* ને શિક્ષણ મુદા પર પૂરો સાથ અને સહકાર આપવા સહમત થયા. બહુજન સમાજમા 75 વર્ષ માં જે કામ નથી થયુ તે કામ કરી ને બતાવવાની જીજ્ઞાસા લોકોમા જાગી ઉઠી છે.
*મિશન E2BS સફળ કરવા* લોકો માં જાગૃતિ આવિરહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon