લાકડિયા ગામ મધ્યે આવી રહેલ ગૌચર જમીન પર સોલાર પ્લાન્ટ ને મંજૂરી ન આપવા માટે તેમજ ગાયો ના ચારિયાણ માટે ની જમીન પર હડપી રહ્યા છે તેમજ તલાવડી નું પુરાણ કરાઈ રહ્યું છે તે બાબતે તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ - At This Time

લાકડિયા ગામ મધ્યે આવી રહેલ ગૌચર જમીન પર સોલાર પ્લાન્ટ ને મંજૂરી ન આપવા માટે તેમજ ગાયો ના ચારિયાણ માટે ની જમીન પર હડપી રહ્યા છે તેમજ તલાવડી નું પુરાણ કરાઈ રહ્યું છે તે બાબતે તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ


ભચાઉ તાલુકાના લાકડીયા મધ્યે ખડતારાં વિસ્તાર માં માધવ ગ્રુપ દ્વારા ગાયો ના ચારિયાંણ માટે વર્ષો થી ગ્રામજનો દ્વારા ગાયો ના ચરિયાન માટે જમીન અનુદાન માં આપેલ હતી જેમાં ગાયો ને પાણી પી શકે તે હેતુસર તલાવડી પણ આવેલ છે જેમાં માધવ ગ્રુપ દ્વારા સરકાર ના અમુક અધિકારીઓ ની મિલીભગત થકી જમીન મેળવી ને ગાયો ના હક અધિકાર ઉપર તરાપ મરાઈ રહી છે સાથે જે તે જમીન નીચે થી ગેલ ઇન્ડિયા ની ગેસ ની પાઇપ લાઈન નીકળે છે તે ઉપરાંત જમીન નું હેતુ ફેરબદલ કરીયું છે જે સોલાર પ્લાન્ટ એટલે એક ઉંધોગિક ઉત્પાદન થાય સે જે ખેતી ના હેતુ ને ફેરવી દીધું છે
આ તમામ મુદે લાકડિયા ગ્રામજનો દ્વારા આ ગાયો ના ચારિયાન માટે સરકાર સમક્ષ રજૂઆત કરાઇ રહી છે કે ત્વરિત ધોરણે આ સોલાર પ્લાન્ટ ને અટકાવી ને વધુ મજબૂત રીતે ગાયો માટે વિચારશીલ બને અને ગૌચર નિમ કરી ને ગાયો માટે સરકાર સંવેદનશીલ બને તેવી રજુઆત રહેલી છે જો આ બાબતે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઇ તો આગામી દિવસો માં પ્લાન્ટ સ્થળ તેમજ પ્રાંત કચેરી મધ્યે ઉગ્ર જન આંદોલન કરાશે જેમાં જે પણ નુકસાન થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર પ્રશાસન ની રહેશે
કચ્છ જિલ્લા ના સામાજિક યુવા અગ્રણી નીલ વિઝોડા તેમજ લાકડિયા ના મોટી સંખ્યા માં ગ્રામજનો દ્વારા રજુઆત કરાઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon