સુરત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયા ની માનવીય સંવેદના 25 લાખ નું દાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gdeoi2dqe5uzuxcv/" left="-10"]

સુરત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયા ની માનવીય સંવેદના 25 લાખ નું દાન


સુરત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયા ની માનવીય સંવેદના 25 લાખ નું દાન

સુરત કામરેજ ના ધોરણ પારડી આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ. માંડવીયા નું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા ટ્રસ્ટી શ્રી ઓ આશીર્વાદ માનવ મંદિર માં થતી માનવ સેવા પ્રત્યે માંડવીયા ની માનવીય સંવેદના 25 લાખ નું દાન અર્પણ કર્યું કામરેજ ના ધોરણ પારડી ખાતે આવેલ આશીર્વાદ માનવ મંદિર માં દેશ ના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ મુલાકાત લીધી હતી દેશ કાળ કે ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર થતી માનવ સેવા નિહાળી અભિભૂત થતા આરોગ્ય મંત્રી માંડવીયા અતિ ગંભીર મનોદિવ્યાંગો મહાપ્રભુજી ની સેવા શ્રુશુતા નિહાળી ટ્રસ્ટી મંડળ અને સ્વંયમ સેવકો પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કર્યો
અત્યાર સુધી માં 2450 થી વધુ મનોદિવ્યાંગો ને કુદરત સહજ જીવન તરફ દોરી સમાજ માં પુનઃ સ્થાપિત કરી ચૂકેલ આશીર્વાદ માનવ મંદિર ની સેવા નિહાળી ગદગદિત કેન્દ્રીય મંત્રી એ રૂપિયા ૨૫ લાખ નું દાન અર્પણ કર્યું હતું 450 વધુ મનોદિવ્યાંગો મહાપ્રભુજી સાથે સમય વિતાવ્યો હતો આશીર્વાદ માનવ મંદિર દ્વારા થતી સેવા પ્રવૃત્તિ આરોગ્ય આહાર વિહાર થી મંત્રી શ્રી ને અવગત કરતા સંસ્થા ટ્રસ્ટી ભરતભાઇ માંગુકિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા આશીર્વાદ માનવ મંદિર ની સેવા પ્રવૃત્તિની જ્યોત ઝળહળાવી રહેલ સર્વ ટ્રસ્ટી સ્વંયમ સેવકો ની સરાહના કરી હતી દેશભર ના અનેકો રાજ્યો ના અતિ ગંભીર મનોદિવ્યાંગો બિન વારસી બહેર મૂંગા અપંગ અસહાય માનસિક રીતે બીમાર મનોદિવ્યાંગો ને રહેવા જમવા આરોગ્ય સહિતનું આશ્રય સ્થાન બની રહ્યું ત્યારે સંસ્થા ના આશ્રિતો ને વધુ બહેતરીન સુવિધા ઓ મળતી રહે તેવા શુભ ઉદ્દેશ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા એ રૂપિયા 25 લાખ નું અનુદાન આપી માનવીય સંવેદના નું સુંદર કાર્ય હતું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]