ઉમરાળા ખાતે વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજાઇ - At This Time

ઉમરાળા ખાતે વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજાઇ


ઉમરાળા ખાતે હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ભાવનગરના ઉમરાળા ખાતે હર ઘર તિરંગા યાત્રા દ્વારા યોજાઈ હતી હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઉમરાળામાં તિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી આ તકે ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી,તાલુકા વિકાસ અધિકારી સરવૈયા પોલીસ અધિકારી એમ.આર.ભલગરિયા,તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મોહનભાઈ માંગુકિયા મામલતદાર કચેરી સ્ટાફ,તાલુકા પંચાયત સ્ટાફ,ઉમરાળા પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ,જી.આર.ડી.જવાનો તેમજ ઉમરાળાની તમામ શાળાઓના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ સહિત તાલુકાના અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.