મીડિયા અહેવાલ થી પાણી પુરવઠા મંત્રી એ આદેશ આપ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gcuj0otdk4u16m5j/" left="-10"]

મીડિયા અહેવાલ થી પાણી પુરવઠા મંત્રી એ આદેશ આપ્યો


મીડિયા અહેવાલ થી પાણી પુરવઠા મંત્રી એ આદેશ આપ્યો
શાખપુર પ્રશ્ને પ્રસિદ્ધ થયેલ અખબારી અહેવાલ મંત્રી સુધી પહોંચતા ઉકેલ જાગૃત સરપંચ ખુમાણે મીડિયા જગત નો આભાર માન્યો

દામનગર ના શાખપુર ગામ ના વિવિધ પ્રશ્ને અવારનવાર સમસ્યા ને વાચા આપતા અહેવાલો ની અસર થી સંતોષ વ્યક્ત કરતા શાખપુર ના જાગૃત સરપંચ જણાવે છે કે શાખપુર ગામ ના પાણી પ્રશ્ને પ્રેસ ના માધ્યમથી કુવરજીભાઈ બાવળીયા ને જાહેર કરેલ પાડરશીંગા કણકોટ શાખપુર ના ભૂગર્ભ સંપ બે લાખ દસ હજાર લિટરનો મંજૂર થયેલ અને જેનું ટેન્ડર પણ બહાર પડેલ છે આ પ્રશ્નનું નિરાકરણ વારંવાર ની લેખિત રજૂઆતો પછી પણ ઉકેલ નહિ આવતા આ પ્રશ્ને પ્રસિદ્ધ અખબારી અહેવાલો પાણી પુરવઠા મંત્રી સુધી નોંધ લેવાઈ અને મંત્રી શ્રી એ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો, ગુજરાત સંસ્કાર સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સરદાર ભવન,સચિવાલય, ગાંધીનગર થી અમરેલી જીલ્લાના અલગ-અલગ ગામના સરપંચશ્રીઓ દ્વારા મારી સમક્ષ નીચેની વિગતે રજૂઆતો કરવામાં આવેલ છે. સદર રજૂઆતો પરત્વે જરૂરી સર્વે કરી ગામલોકોને સત્વરે પીવાનું પાણી મળી રહે તે અંગે નિયમાનુસારની યોગ્ય કાર્યવાહી હાથ ધરશો તેમજ તે અંગે થયેલ કાર્યવાહી કરી અહેવાલ કરવા સભ્ય સચિવશ્રી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જલસેવા ભવન, સેકટ૨–૧૦/એ, ગાંધીનગર.ને જણાવ્યું હતું આ પ્રશ્ને શાખપુર ના જાગૃત સરપંચ ખુમાણે અખબારી અહેવાલ થી પ્રશ્ને ઉકેલ આવતા મીડિયા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]