પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ - At This Time

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ


પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા રફતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૩૪/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૬૩ , ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબના કામે ત્રણ વર્ષ પહેલા રાજુલા તાલુકાના ખેરા ગામેથી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી , નાસી જનાર આરોપીને આજરોજ તા .૦૪ / ૧૧ / ૨૦૨૨ ના રોજ જાફરાબાદ તાલુકાના બલાણા ગામેથી પકડી પાડી , પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી થવા સારૂ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા તજવીજ કરેલ છે .

→ પકડાયેલ આરોપીની વિગત :
અજય બીજલભાઇ ચૌહાણ , ઉ.વ .૨૦ , રહે.ચાંચ , ખેતલીયાદાદાના મંદિર પાસે , તા.રાજુલા , જિ.અમરેલી .

પકડાયેલ આરોપી ફરીયાદીની સગીર વયની દિકરીને રાજુલા તાલુકાના ખેરા ગામેથી લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયેલ હતો .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon