મોડાસા માલપુર રોડ પર હનુમાનજી મંદિરમા ચાલતું સદા વ્રત. - At This Time

મોડાસા માલપુર રોડ પર હનુમાનજી મંદિરમા ચાલતું સદા વ્રત.


આપે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં ઘણી બધી જગ્યાએ સદાવૃત ચાલતા જોયા હશે પણ આજે એવી જગ્યાએ આપને લઈ જઈએ છીએ કે જ્યાં ખરેખર જરૂર છે એવા અરવલ્લી ના મોડાસા શહેરમાં આમ તો દાદા દાદી નો વિસામો અને બે રૂપિયાનું અન્ન ભોજનાલય પણ છે જ્યારે માલપુર રોડ પર આવેલ હનુમાનદાદાનું મંદિર જ્યાં જયેશભાઈ શાસ્ત્રીના પિતાશ્રીનું એક સ્વપ્ન હતું કે ભક્ત ભૂખ્યો ઊઠે પણ ભૂખ્યો ન સુવે તેવા આશયથી રેલ્વે સ્ટેશનના સામે આવેલા હનુમાન દાદા ના મંદિરમાં 2022 થી લઈ આજ દિન સુધી જયેશભાઈ શાસ્ત્રી દ્વારા એક સદાવ્રત ભંડારો શરૂ કરવામાં આવ્યો છે આ ભંડારામાં તેમના સહયોગી તથા ભક્ત મંડળ ના સાથ સહકારથી દર શનિવારે 200 થી 300 લોકો ભોજનનો લાભ લે છે અને આવી બધી જગ્યાએ કોઈકની પુણ્યતિથિ અથવા તો કોઈકની જન્મતિથી નિમિત્તે દાન દક્ષિણા લોકો આપી રહ્યા છે જેને લઇ દર શનિવારે ભૂખ્યાને ભોજન તિથિ શરૂ કરવામાં આવેલ છે જ્યારે આ મંદિરના ભક્તજનોની એવી ઈચ્છા છે કે આ સદાવ્રત વર્ષના 365 દિવસ ચાલે અને ભૂખ્યા લોકોને ભોજન મળે એવી સેવા કરવા માંગે છે જય હનુમાન..

જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon