વિસાવદર તાલુકામાં વાતાવરણમાં ફેરફાર ખેડૂતોની નિંદર હરામ. - At This Time

વિસાવદર તાલુકામાં વાતાવરણમાં ફેરફાર ખેડૂતોની નિંદર હરામ.


વિસાવદર તાલુકામાં વાતાવરણમાં ફેરફાર ખેડૂતોની નિંદર હરામ.

વિસાવદર તાલુકામાં હમણાં થોડા દિવસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. અત્યારે ખેડૂત લોકોની નિંદર હરામ થઇ ગઈ છે, કારણ કે, ખેતરોમાં અત્યારે પાક તૈયાર થઇ ગયેલ છે. તે બગડી જવાની પુરી સંભાવના છે. માટે આ વાતાવરણથી લોકો ચિંતિત જોવા મળે છે.
આજે બપોર પછી ગરમીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
આ વાતાવરણને કારણે લોકોમાં બીમારી ફેલાવાની પણ શક્યતા રહેલી છે.
સાથે બગાયતિ પાકો જેવા કે, આંબાના બગીચાઓને પણ નુકશાન થવાની સંભાવના છે આ વાતાવરણથી જે નુકશાની થાશે તે જોતા એવુ લાગે છે કે, આ વર્ષ કેરી ખાવી પણ મુશ્કેલ થાશે તેવું લોકોમાં ચર્ચા થઇ રહી છે.
રિપોર્ટ ભાનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon