કોડીનાર વેરાવળ હાઇવે બિસ્માર. ઉડતી ધૂળની ડમરી લોકોએ કહ્યું ઘર છોડવું પડશે નેશનલ હાઇવે ઓથોરિટી કેમ બેદરકારી બનાવી રહી છે વાહન ચાલકો પણ તાહિમામ - At This Time

કોડીનાર વેરાવળ હાઇવે બિસ્માર. ઉડતી ધૂળની ડમરી લોકોએ કહ્યું ઘર છોડવું પડશે નેશનલ હાઇવે ઓથોરિટી કેમ બેદરકારી બનાવી રહી છે વાહન ચાલકો પણ તાહિમામ


ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ રોડ રસ્તા, બિસ્માર્ક બન્યા છે અત્યારે હાલ વરસાદ એ વિરામ લેતા રોડ ઉપરથી વાહન પસાર થવાથી ધુડની ડમરી ઉડી રહી છે જેને લઇ વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે પર દર વર્ષ રીનોવેશન કરવામાં આવે છે પરંતુ નબળી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવાના કારણે વરસાદ રોડ બની જાય છે અને બીસમાં રોડ ઉપર મસ મોટા ખાડાઓ પડી જાય છે
વરસાદ બંધ થતા બાદ કાંકરી અને ધૂળ ઉપર આવી જાય છે અને ભારે વાહનો પસાર થતા હોય જેને લઇ ધૂનની ડમરીઓ જોવા મળી રહી છે અને મુસાફરો તેમજ હાઇવે નજીક વસવાટ કરતા લોકો તેમજ દુકાન ધરાવતા વેપારીઓ મુશ્કેલીઓમાં મુકાય ગયા છે જો આગામી દિવસોમાં આ સ્થિતિ રહી તો અમારે ના સુટકે અન્ય વિસ્તારોમાં મકાન શોધી રહેવાય ત્યાં રહેવા માટે જવાની નોબત આવશે
કમરનો દુખાવો થઈ જાય છે નાકડાના સામાજિક કાર્યકર્તા ગોવિંદભાઈ ચાવડાએ કહ્યું હતું કે દરરોજ વેરાવળ થી 22 કિ.મી અપડાઉન કરું છું અને ઘરે પહોંચ્યા કમરમાં દુખાવો થઈ જ થવા લાગે છે તેમજ ધૂળની ડમરીઓથી તેમજ આરોગ્ય પણ બગડી બની શક્યતા રહેશે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon