સરગવાના ફાયદા સરગવાના પાનમાં...રહેલ ગુણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/frui5nbaheqn2u78/" left="-10"]

સરગવાના ફાયદા સરગવાના પાનમાં…રહેલ ગુણ


સરગવો કેન્સરના દરદીઓ માટે ઉપયોગી સાબીત થાય છે, કેન્સરમાં કેમોથેરપી દ્વારા જે સાઈડ ઈફેક્ટ્સ વ્યક્તીને નડે છે એ સાઈડ ઈફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય છે સરગવો ડીટોક્સીફીકેશન માટે અત્યંત ઉપયોગી છે. શરીરમાં ફરતા નકામા કચરા જેને ફ્રી રેડીકલ્સ કહે છે. એને બાંધે છે અને શરીરમાંથી દુર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે

- સંતરા કરતાં 7 ગણું વધારે વિટામિન C હોય છે. - કેળા કરતાં 3 ગણું વધારે પોટેશિયમ હોય છે.

- ગાજર કરતાં 4 ગણું વધારે વિટામિન A હોય છે. - પાલક કરતાં 2 ગણું વધારે લોહતત્વ હોય છે.

ઘઉંના જવારા કરતાં 4 ગણું વધારે ક્લોરોફિલ હોય છે. દૂધ કરતાં 4 ગણું વધારે કેલ્શિયમ હોય છે.

- દહીં કરતાં 3 ગણું વધારે પ્રોટીન હોય છે.

આ ઉપરાંત અન્ય વિટામિન્સ, ફાઈબરૅ,મિનરલ્સ, 17 પ્રકારના જરૂરી એમિનો એસિડ્સ, ઓમેગા 3-4-9, 92 પ્રકારના ન્યૂટ્રિશન્શ તથા 46 પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ તો ખરાજ...

નિયમિત સરગવાના પાનના ચૂર્ણ નું સેવન કરવાથી થતાં ફાયદા..

- સ્નાયુઓ તેમજ સાંધાના દુઃખાવામાં રાહત મળે છે.

- ડાયાબિટીસમાં સુગર નિયંત્રિત કરે છે. - બ્લડ પ્રેશર તથા કોલેસ્ટેરોલ નિયંત્રિત કરે છે.

- પાચનક્રિયા સુધારી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવા પેટનાં રોગોમાં રાહત મળે છે.

- આંખ અને કાનનાં ઈન્ફેક્શનમાં ફાયદો થાય છે.

- માથાનો દુઃખાવો અને અનિંદ્રામાં ફાયદો થાય છે. - રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

- કેન્સર થવાનાં જોખમને અટકાવે છે.

- વધતી ઉંમરનાં લક્ષણોને છુપાવે છે.

ઉપયોગ કરવાની રીત...

એક ચમચી સરગવાના પાનનાં ચૂણૅને એક ચમચી મધ સાથે મીક્ષ કરી સવારે ભૂખ્યા પેટે લેવાથી મહત્તમ લાભ થાય છે.હુંફાળા પાણી સાથે લઈ શકાય છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]