ધાંગધ્રાના હરીપર બ્રિજ પરથી કૂદીને અજાણ્યા યુવાને નર્મદા કેનાલમાં જમ્પ લગાવી આત્મ હત્યા કરી - At This Time

ધાંગધ્રાના હરીપર બ્રિજ પરથી કૂદીને અજાણ્યા યુવાને નર્મદા કેનાલમાં જમ્પ લગાવી આત્મ હત્યા કરી


સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાનાના હરીપર ગામ નજીક બ્રિજ પરથી જમ્પ લગાવીને નર્મદા કેનાલમાં અજાણ્યા યુવાને આત્મહત્યા કરી જેમાં ગ્રામજનો ફાયર ટીમ દ્વારા હાલ લાશને કેનાલ માંથી બહાર કાઢી તાલુકા પોલીસને જાણકરી કરતા પોલીસ ઘટના સ્થળ પહોંચી લાશનો કબજો મેળવીને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં એક પછી એક લાશો નીકળવાના બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધાંગધ્રા હરીપર ગામ નજીક હાઇવે પર બ્રિજ ઉપરથી એક અજાણ્યા યુવકે જમ્પ લગાવીને નર્મદા કેનાલમાં મોતને વાલુ કરી આત્મ હત્યા કરી હતી ત્યારે અજાણ્યા યુવકની લાશ નર્મદા કેનાલમાંથી ગ્રામજનો તથા ધાંગધ્રા નગરપાલિકા ફાયર ટીમ દ્વારા કેનાલ માંથી લાશને બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લાસનો કબજો મેળવીને ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યારે મરનાર વ્યક્તિ કોણ છે ક્યાંનો છે તેની હજુ કોઈ પણ ઓળખ થવા પામી નથી ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને આ યુવાન કોણ છે ક્યાંનો છે તે દિશામાં આગળની કાર્યવાહી તાલુકા પોલીસે હાથ ધરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.