ગરબાડા તાલુકામાં દશેરાની ધામધૂમ પૂર્વક ઉજવણી, ગાંગરડી ગામે રાવણ ના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f2wmvg063fdkjdeg/" left="-10"]

ગરબાડા તાલુકામાં દશેરાની ધામધૂમ પૂર્વક ઉજવણી, ગાંગરડી ગામે રાવણ ના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો.


અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય, દાનવતા સામે માનવતાનો વિજય, કપટ સામે ભોળપણનો વિજય. આ તમામ સુવાક્યો દશેરાના દિવસને લાગું પડે છે. દશમુખી અહંકારી રાવણનો અંત અને પુર્ણપુરૂષોત્તમ ભગવાન શ્રી રામનો વિજય એટલે વિજયાદશમીનો તહેવાર.

આ તહેવારની પૂર્વ ગરબાડામાં ભારે ધામધૂમપૂર્વર અને હર્ષોલ્લાસથી ઉજવણી થઇ હતી. સવારથી જ ફાફડા-જલેબી લેવા માટે મીઠાઇની દુકાનો પર લોકોની ભીડ લાગી હતી. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનું વિશેષ મહત્વ રહેલું છે. તેના વગર આ પર્વની ઉજવણી અધુરી રહી જાય છે.

આજે વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજનનું પણ મહત્વ છે. જેને લઇ ગરબાડા પોલીસ મથકે આજે શસ્ત્રપૂજા કરવામાં આવી હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન ગાંગરડી ખાતે  કરવામાં આવ્યું હતું રાવણ ના પૂતળાનું દહન જોવા માટે લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતાં. આ વર્ષે ગરબાનો કાર્યક્રમ સરસ રીતે યોજાયો હતો. શેરી ગરબાએ લોકોને પારંપારીક ગરબા તરફ વાળ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]