નુપુર શર્માની જીભ કાપનારને 1 કરોડનું ઈનામ, ભીમ આર્મીની જાહેરાત
ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પૈંગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણીનો મામલો સતત વધી રહ્યો છે. હવે આ વિવાદમાં ભીમ સેના પણ કૂદી પડી છે. ભીમ આર્મી ચીફ નવાબ સતપાલ તંવરે બુધવારે નૂપુર શર્માની જીભ કાપી નાખનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ભીમ આર્મીએ નૂપુર શર્મા પર કાનપુર હિંસાની માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ લગાવ્યો છે.
ભીમ સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ નવાબ સતપાલ તંવરે આરોપ લગાવ્યો કે નુપુર શર્માએ પૈંગંબરનું અપમાન કર્યું છે, જેનાથી કરોડો મુસ્લિમ સમુદાયને ઠેસ પહોંચી છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર જાણીજોઈને નુપુર શર્માની ધરપકડ કરી રહી નથી. તંવરે યોગી સરકાર પર એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે નુપુર શર્મા કાનપુર રમખાણોની અસલી માસ્ટરમાઈન્ડ છે તો યોગી સરકારે તેને આરોપી કેમ ન બનાવી.
સતપાલ તંવરે કહ્યું કે નુપુર શર્મા જેવા નેતાને સમાજમાં રહેવાનો અધિકાર નથી. તેમને તાત્કાલિક જેલમાં મોકલવા જોઈએ અથવા દેશની બહાર ફેંકી દેવા જોઈએ. તેમનું કહેવું છે કે નુપુર શર્મા દ્વારા કરવામાં આવેલી આ વાંધાજનક ટિપ્પણીથી સમગ્ર વિશ્વમાં ભારતની બદનામી થઈ રહી છે.
નોંધનીય છે કે નૂપુર શર્માએ તાજેતરમાં એક ટીવી ડિબેટ દરમિયાન પૈંગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ચારેબાજુ દબાણ બાદ ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ઘણા કટ્ટરપંથીઓ પણ નુપુર શર્માને ધમકી આપી રહ્યા છે. વધતા ખતરાને જોતા દિલ્હી પોલીસે નુપુરને સુરક્ષા પુરી પાડી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.