વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર ના ૩૫  સગર્ભા ધાત્રી માતાઓ ને વિના મુલ્યે સુખડી વિતરણ  - At This Time

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર ના ૩૫  સગર્ભા ધાત્રી માતાઓ ને વિના મુલ્યે સુખડી વિતરણ 


બગસરા ત્રીવેદી ફાઉન્ડેશન વડોદરા ના આર્થીક સહયોગથી બાળ કેળવણી મંદીર બગસરા ની ભગીની સંસ્થા, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર ના ૩૫  સગર્ભા ધાત્રી માતાઓ ને વિના મુલ્યે સુખડી વિતરણ કરવામાં આવેલ. બગસરા ના સેવા ભાવી ડોક્ટર શ્રી રાઠોડે સાહેબ ના સાનિધ્ય માં, સગર્ભા બહેનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. બાળ કેળવણી મંદીર બગસરા ના પ્રમુખ શ્રી ચેતનભાઈ શાહ મુંબઈ તથા ઉપ પ્રમુખ શ્રી જયશ્રીબેન શાહ વડોદરા, પ્રતાપ ભાઈ લંડન તથા કિર્તન ભાઈ શાહ ના સાનિધ્ય માં, બાળ કેળવણી મંદીર બગસરા ખાતે સરસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ, તેમ અરવિંદભાઈ રાઠોડે જણાવ્યું છે. દેવચંદ સાવલિયા બગસરા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon