ઈસરી બારાં દસ ગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ ધ્વારા પ્રથમ સ્નેહ મિલન સન્માન સમારોહ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ehwrtu6rl9yjdq59/" left="-10"]

ઈસરી બારાં દસ ગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ ધ્વારા પ્રથમ સ્નેહ મિલન સન્માન સમારોહ યોજાયો.


ઈસરી બારાં દસ ગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ ધ્વારા પ્રથમ સ્નેહ મિલન સન્માન સમારોહ તા:૨૭/૧૦/૨૦૨૨ના રોજ ઈ‌સરી મુકામે યોજવામાં આવ્યો હતો.ટ્રસ્ટના પ્રમુખશ્રી રેવાભાઈ જેઠાભાઈ ચમાર (વલુણા) મંત્રી શ્રી જયંતીભાઈ પરમાર (ઈસરી)અધ્યક્ષશ્રી જગદીશ ભાઈ (તરકવાડા)અતિથિ વિશેષ શ્રી રમણભાઈ ગોતમ (ગેડ)સમગ્ર કાર્યક્રમના સંયોજક શ્રીઓ પ્રિયદર્શી લવજીભાઈ સાહેબ (ગેડ)અને પરમાર દિનેશભાઈ સાહેબ (ગેડ) દ્વારા સમાજ ના વડિલો,દાતાઓ, આમંત્રિત મહેમાનો, નિવૃત્ત કર્મચારીઓ, તમામ ખાતાઓના કર્મચારીઓ, પ્રાઇવેટ ફેકટર માં નોકરી કરતા યુવાનો ને શાલ અને ફૂલ હારથી તથા તેજસ્વી તારલાઓ ને ડૉ.બાબાસાહેબ આમ્બેડકર ના ફોટા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ માં સમાજ ના શૈક્ષણિક વિકાસ પર ભાર મૂકી સમાજ માં સમાનતા અને બંધુતા ની ભાવના કેળવાય તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.મા.શિક્ષકશ્રી લવજીભાઈ પ્રિયદર્શી (ગેડ)એ કાર્યકુશળતા અને કુનેહ બુદ્ધિ થી સમાજ ના આમ આદમી થી લઈને ટોચ પરના મહાનુભાવોને માન સન્માન આપી સમગ્ર કાર્યક્રમનું શ્રેષ્ઠ સંચાલન કર્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]