શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુધરવાડા દ્વારા ત્રિરંગા પદયાત્રા યોજવામાં આવી. - At This Time

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુધરવાડા દ્વારા ત્રિરંગા પદયાત્રા યોજવામાં આવી.


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડુગરવાડા ગામમાં આવેલ શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા પદયાત્રાનું આજરોજ સવારે આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ડુઘરવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા મંત્રી શ્રી અમૃતભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી ચેતનભાઇ પટેલ તથા ઉપસ્થિત સભ્યશ્રીઓ દ્વારા આ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ કેળવણી મંડળના તમામ સદસ્યશ્રીઓ શાળાનો સ્ટાફગણ જોડાયો હતો. રેલીએ શાળાના મુખ્ય દરવાજેથી પ્રસ્થાન કરી જાહેર રસ્તા ઉપર થઈ આખા ગામમાં પદયાત્રા કરી હતી. તિરંગા પરિયાત્રા ડુઘરવાડા ગ્રામ પંચાયત આગળ પહોંચ્યા પછી કેળવણી મંડળના સભ્ય શ્રી અંબાલાલભાઈ પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું સાથે સાથે તેઓશ્રીએ તેમનું સ્વરચિત એક કાવ્ય ગાન કર્યું હતું. શાળાનું ગાયક વૃંદ દ્વારા વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું હતું. ત્યાંથી આગળ રેલીનું પ્રસ્થાન કરી ગામની વિવિધ શેરીઓમાં પદયાત્રા ફરી અંતે શાળાના મેદાનમાં પહોંચી પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon