બોટાદ સીટી મામલતદારે ટ્રેક્ટર ચાલક ને માર માર્યા ની ઘટના આવી સામે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ef6wrdldl0qevjqr/" left="-10"]

બોટાદ સીટી મામલતદારે ટ્રેક્ટર ચાલક ને માર માર્યા ની ઘટના આવી સામે


બોટાદ સીટી મામલતદારે ટ્રેક્ટર ચાલક ને માર માર્યા ની ઘટના આવી સામે

તુરખા રોડ પર પસાર થતા ટ્રેકટર ચાલક ને રોકી રૂપિયા ની માંગણી કરતા થઈ તકરાર
ટ્રેકટર ચાલક જેન્તીભાઈ હિરાણી ને મામલતદાર જી.કે.મકવાણા દ્રારા તેમજ અન્ય 3 લોકો ડ્રાયવર સહિત ના એ મામલતદાર કચેરી એ લાવી માર મારવામાં આવ્યો હોવાનું આપ્યું ઇજાગ્રસ્ત પુત્ર એ નિવેદન
ટ્રેકટર ચાલક જેન્તીભાઈ તેમજ તેમના પુત્ર નિલેશભાઈ ને માર માર્યો હોવાનું આપ્યું પુત્ર એ નિવેદન
સાંજે 5:30 આસપાસ બનેલી ઘટના બાદ મામલતદાર તેમજ સ્ટાફ દ્રારા સ્થળ પર થી મામલતદાર કચેરી સુધી ઇજા ની હાલત માં પિતા પુત્ર ને આશરે 3 કલાક થી વધુ બેસાડ્યા નું આપ્યું નિવેદન.
8:30 બાદ પહેલા હોસ્પિટલ ખાતે નહિ પણ ઈજા ની હાલત માં પિતા પુત્ર ને લાવવવા માં આવ્યા બોટાદ પોલીસ સ્ટેશન ખાતે
ગઈકાલે રાત્રે બની આ સમગ્ર ઘટના હાલ ઇજાગ્રસ્ત પિતા,પુત્ર સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં
અધિકારી ની દાદાગીરી તેમજ પોલીસ દ્રારા ફરિયાદ નહિ લેવાતા પોલીસ સામે પણ રોષ
મામલતદાર કક્ષા ના ઉચ્ચ અધિકારી હોય પોલીસ ખાતું ઇજાગ્રસ્ત ને નહિ પણ મામલતદાર ના સમર્થન માં કામ કરે છે તેવા ઇજાગ્રસ્ત પુત્ર એ કર્યા આક્ષેપ
સમગ્ર મામલે હાલ મામલતદાર કશું કહેવા નથી તૈયાર...સમય આપો પછી નિવેદન આપીશ તેવું મોબાઈલ પર વાત દરમ્યાન મામલતદાર દ્રારા જણાવવામાં આવ્યું.

રિપોર્ટર : ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]