.૯-૧૦-૨૦૨૨ રવિવારે સવારે ૮-૩૦ થી ૧૨-૦૦ દરમ્યાન આસો નવરાત્રીમાં ભાઇઓ-બહેનો દ્વારા વ્યક્તિગત - At This Time

.૯-૧૦-૨૦૨૨ રવિવારે સવારે ૮-૩૦ થી ૧૨-૦૦ દરમ્યાન આસો નવરાત્રીમાં ભાઇઓ-બહેનો દ્વારા વ્યક્તિગત


તા.૯-૧૦-૨૦૨૨ રવિવારે સવારે ૮-૩૦ થી ૧૨-૦૦ દરમ્યાન આસો નવરાત્રીમાં ભાઇઓ-બહેનો દ્વારા વ્યક્તિગત કે સમૂહમાં થયેલા ગાયત્રી મંત્ર-જાપ લેખન-ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે તેમજ સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવન પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી નિ:શુલ્ક {૨૪} કુંડીય ગાયત્રી મહાયજ્ઞ તથા વૈદિક સંસ્કારો સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ તથા અગીયારરસ માતાજી મંદિરના સહયોગથી અગીયારરસ માતાજી મંદિર,રેલ્વે ક્રોસિંગ પાસે,નવાવાડજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ડૉ.ઋત્વીજ પટેલ પ્રવક્તા ભાજપ ગુજરાત,મુખ્ય મહેમાન પ્રો.સ્મિતાબેન જોષી કર્ણાવતી શહેર મહિલા મોરચા પ્રમુખ,અતિથિ વિશેષ લા.આશાબેન બ્રહ્મભટ્ટ મ્યુ.કાઉન્સીલર નવરંગપુરા,હેતલ અમીન ચૅર પર્સન મહિલા પાંખ અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ તથા લાયન્સ ક્લબના પ્રમુખ,હોદ્દેદારો,ગાયત્રી પરિવારના સાધકો,સભ્યો કાર્યકર્તાઓએ અને નવા વાડજ-નારણપુરા વિસ્તારના ૩૦૦ જેટલાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા અને મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ,સર્વ રોગ નિદાન, દાંતનીતપાસ,ઍક્યુપ્રેશર દ્વારા સારવારનો લાભ લીધો હતો 🌹🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon