કોટડાથી ઠોયાણા માર્ગનું ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત ગ્રામજનોની રજૂઆતને ધ્યાને રાખી અતિ બિસ્માર બની ગયેલા રસ્તાનું બે કરોડના ખર્ચે થશે નવનિર્માણ - At This Time

કોટડાથી ઠોયાણા માર્ગનું ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત ગ્રામજનોની રજૂઆતને ધ્યાને રાખી અતિ બિસ્માર બની ગયેલા રસ્તાનું બે કરોડના ખર્ચે થશે નવનિર્માણ


પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારને જોડતા ખરાબ રસ્તાઓના સમારકામ માટે ગ્રામજનો દ્વારા ધારાસભય કાંધલભાઇ જાડેજાને રજૂઆત કરવામાં આવતી હોય છે. આ રજૂઆતને ધ્યાનમાં રાખી ધારાસભ્ય દ્વારા તાત્કાલીક રસ્તાના નવીનીકરણ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે. આ ઉપરાંત સ્વખર્ચે પણ જરૂર જણાય ત્યાં રસ્તાનું સમારકામ સહિતની લોકહીતની કામગીરી ધારાસભ્ય દ્વારા કરવામાં આવે છે. કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર ગ્રામજનોની સમસ્યાનું નીરાકરણ આવે તે માટે ધારાસભ્ય હરહંમેશ પ્રયાસ કરે છે. ઘણા પ્રશ્નોનું નિરાકરણ પણ ધારાસભ્ય દ્વારા લાવવામાં આવ્યું છે. કુતિયાણા તાલુકાના કોટડાથી ઠોયાણાને જોડતા રસ્તાનું રૂા.બે કરોડના ખર્ચે નવનીર્માણ કરવામાં આવશે. આ રસ્તાના ખાતમુહૂર્ત કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. રસ્તાના નિર્માણ બાદ કોટડા-ઠોયાણા સહિતના ગ્રામજનોની મુશ્કેલી દુર થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon