સરલા માં પટેલ સમાજ નાં આગેવાન એવાં કાન્તિલાલ ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ - At This Time

સરલા માં પટેલ સમાજ નાં આગેવાન એવાં કાન્તિલાલ ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ


*સરલા નાં પટેલ સમાજ નાં અગ્રણી કાન્તિલાલ ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ*

મુળી તાલુકાનાં સરલા નાં પટેલ સમાજ નાં અગ્રણી પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય એવાં કાન્તિલાલ ધરમશી ભાઈ પટેલ ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આગામી તા.૨૯-૩૦-૧૦-૨૦૨૨ નાં રોજ બાર કલાક ની રામધુન સાથે શરૂઆત કરવામાં આવશે રામધુન પુર્ણાહુતી બાદ વિશાળ ધર્મસભા યોજાશે જેમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર નાં મહારાજ શ્રી માધવેન્દ્રપ્રસાદ મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે અને ધર્મ સભા માં પોતાનું વક્તવ્ય સાથે ભક્તો ને ધર્મ પ્રચાર કરશે સાથે સ્વામિનારાયણ સંપ્રદાય નાં સંતો પણ હાજરી આપશે સાથે બાળકો ને ભક્તો ને અને મિત્રો માટે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે સંતો મહંતો મહારાજ શ્રી ઓ નું ભવ્ય સ્વાગત સાથે ગામમાં શોભાયાત્રા નીકળશે તેનાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજકીય રીતે અને સમાજમાં પ્રભુત્વ ધરાવતા એવા સ્વ- કાન્તિલાલ પટેલ ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે મોટીસંખ્યામાં મિત્ર વર્તુળ હાજર રહેશે તેઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સેવા આપી હતી અને એક પીઢ આગેવાન તરીકે નામનાં ધરાવતાં હતાં તેઓનું ૨૦૨૦ માં અવસાન થયું હતું દરવર્ષે તેઓની પુણ્ય તિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાય છે ત્યારે સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તેઓ નાં સુપુત્ર અલ્પેશભાઈ પટેલ અને નિતીનભાઇ પટેલ સહિત પાટીદાર સમાજ નાં આગેવાનો સહિત સમગ્ર સરલા ગામમાં ગામજનો તનતોડ મહેનત કરી રહ્યા છે ધર્મસભા નું આયોજન હોય ગામમાં ભક્તિમય વાતાવરણ અત્યારે થી જ જોવા મળે છે આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો પણ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon