રાજકોટમાં કાલે CM અને ગુહમંત્રીની ઉપસ્થિતમાં તિરંગા યાત્રા યોજાશે, એક લાખ લોકો જોડાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e8q7jfff3h6rcwqk/" left="-10"]

રાજકોટમાં કાલે CM અને ગુહમંત્રીની ઉપસ્થિતમાં તિરંગા યાત્રા યોજાશે, એક લાખ લોકો જોડાશે


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં ૧૨મી ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ જિલ્લા વહીવટી તંત્રે વ્યક્ત કર્યો છે. આ યાત્રા માટે જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના નેતૃત્વમાં વહીવટી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]